જવાબ- બિલોરી કાચ
જવાબ- શરદી, ઇન્ફલુએંજા, ઉધરશ, પોલીયો,કમળો વગેરે જેવા રોગો વાઇરસ દ્રારા થાય છે.
(C) સ્પાયરોગાયરા (D) એસ્પરજીલસ
(B) પેરામિશિયમ: પ્રજીવ
(C) બ્રેડ મોલ્ડ: ફૂગ
(D) એસ્પરજીલસ : વાઇરસ
(C) યીસ્ટ કોષોની વૃદ્ધિ (D) મસળવું
(C) હાઇડ્રોક્લોરિક એસિડ (D) ઓક્સિજન
(B) સ્ટેપ્ટોમાઈસીન
(C) હાઇડ્રોક્લોરિક એસિડ
(D) ઓક્સિજન
(31) નીલહરિત લીલ વાતાવરણમાંથી____ નું સ્થાપન સીધેસીધું જ કરે છે,જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે.
જવાબ-નાઇટ્રોજન
(32) જૈવિક નાઇટ્રોજન સ્થાપક એટલેશુ?
જવાબ- કેટલાક બેક્ટરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઈટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી જેથી ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે.પરિણામે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે.આ સૂક્ષ્મજીવોને જૈવિક સ્થાપક કહેછે.
(33) પર્ણ,ફળ કે શાકભાજીના કચરામાંથી કુદરતી ખાતર કેવી રીતે બને છે?
જવાબ-પર્ણ ફળ કે શાકભાજી ના કચરાને એકત્રિત કરી તેને એક ખાડામાં નાખી કોહવા દેવામાં આવે છે.આમાટે તેના પર સમયાંતરે પાણી અને દબાણ આપવામાં આવે છે. જેથી થોડાક સમય બાદ જમીનમાં રહેલા બેક્ટરિયા અને ફૂગ દ્વારા તેનું વિઘટન થાય છે. વિઘટન પામીને બનેલો પદાર્થ કુદરતી ખાતરમાં ફેરવાય છે.
(34)કયા કચરાનું જમીનમાંના સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી?
જવાબ – પોલિથીનની થેલી,કાચની બોટલો તથા રમકડાંના ટુકડાઓ જેવા કચરાનું જમીનમાંના જીવો વડે વિઘટન થતું નથી.
(35) આપણા જીવનમાંસૂક્ષ્મજીવો ઉપયોગિતા વિશે દસ વાક્યો લખો.
જવાબ-સૂક્ષ્મજીવો ઘણી રીતે ઉપયોગી છે.દૂધનું દહીંમાં રૂપાંતરણ,ઈડલી,બ્રેડ,પેસ્ટ્રીઝ, કેક વગેરે બનાવવા માટે સૂક્ષ્મ જીવો ઉપયોગી છે.આલ્કોહોલ,દારૂ તેમજ ઍસિટિક ઍસિડ (વિનેગર) ના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. સ્ટ્રેપ્ટોમાઈસીન,ટેટ્રાસાયક્લિન જેવી એન્ટિબાયોટિક્સની બનાવટમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે.સૂક્ષ્મ જીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે.જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે.કેટલાંક બેક્ટરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે.જેથી નાઇટ્રોજનનું ભૂમિમાં પ્રમાણ વધે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે.ફળ અને શાકભાજીનો કચરો, મૃત પ્રાણીઓ,સડતી વનસ્પતિ વગેરે હાનિકારક પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે.
(36) રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું?
જવાબ- કેટલાક સૂક્ષ્મ જીવો મનુષ્ય,પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે.રોગો ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે.
(37) ચેપી રોગો એટલે શું? તેનાં ઉદાહરણ આપો.
જવાબ- જે રોગો સૂક્ષ્મ જીવો દ્વારા એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા,પાણી,ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે,તેને ચેપી રોગો કહે છે.ઉદાહરણ : કોલેરા,શરદી,શીતળા અને ટ્યુબરક્યુલોસિસ (ક્ષય).
(38) શીતળાની રસીની શોધ_____ કરી હતી.
જવાબ- ઍડવર્ડ જેનરે
(39) સમજાવો : માખી ચેપી રોગોને ફેલાવે છે.
જવાબ- જયારે માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે ત્યારે રોગકારક સૂક્ષ્મ જીવો તેના શરીર પર ચોંટી જાય છે. જ્યારે આવી ચેપગ્રસ્ત માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે,ત્યારે આવા સૂક્ષ્મજીવો નુ સ્થળાંતરણ સંભવ બને છે. જે વ્યક્તિ આવો દૂષિત ખોરાક ખાય છે,તેના બીમાર પડવાની સંભાવના વધી જાય છે.આ રીતે માખી ચેપી રોગોને ફેલાવે છે.
(40) મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક____ છે.
જવાબ- માદા એનોફિલિસ મચ્છર
(41) હવા દ્વારા ફેલાતા રોગોનાં નામ આપો.
જવાબ- ટ્યુબરક્યુલોસિસ , ઓરી , અછબડા વગેરે રોગો હવા દ્વારા ફેલાય છે.
(42) માદા એડિસ ___ વાઇરસનું વાહક છે.
જવાબ- ડેગ્યુ
(43) કારણ આપો: આપણા ઘરની આસપાસની જગ્યાઓમાં પાણી એકત્રિત થયેલું રહેવા દેવું જોઈએ નહીં.
જવાબ- બધાં મચ્છર પાણીમાં પ્રજનન કરે છે,જેથી ઘરની આસપાસની જગ્યામાં કે કુલર,ટાયર,ફૂલદાની વગેરેમાં પાણી એકત્રિત થયેલ હોય તો, મચ્છરના પોરાને વૃદ્ધિ અને વિકાસ માટે અનુકૂળતા મળે છે.મચ્છરોનો ઉપદ્રવ વધે છે.જેનાથી ડેગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાઈ શકે માટે ઘરની આસપાસની જગ્યામાં પાણી એકત્રિત થવા દેવું નહીં.
(44) ટ્યુબરક્યુલોસિસ એ ____ દ્વારા થતો રોગ છે.
જવાબ-બેક્ટેરિયા
(45) ટ્યુબરક્યુલોસિસ રોગથી બચવાના ઉપાયો જણાવો.
જવાબ- દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યકિતઓથી અલગ રાખવો.દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખવી જોઈએ.યોગ્ય ઉંમરે રસી મુકાવવી જોઈએ.દર્દીએ વાપરેલી વસ્તુઓ જંતુમુક્ત કરવી જોઈએ,દર્દીના કફ, ગળફા વગેરેનો સળગાવીને નાશ કરવો જોઈએ.
(46) કોલેરા____ દ્વારા થાય છે.
જવાબ- બેક્ટેરિયા
(47) નીચેનામાંથી બેક્ટેરિયા દ્વારા થતો રોગ જણાવો.
(A) ટાઇફોઈડ (B) પોલિયો
(C) મેલેરિયા (D) ઓરી
જવાબ- (A) ટાઇફોઈડ
(48) ટાઇફૉઈડથી બચવાના ઉપાયો જણાવો.
જવાબ- વ્યકિતગત સ્વચ્છતા રાખી સારી ટેવો કેળવવી જોઈએ.યોગ્ય રીતે રાંધવામાં આવેલો તાજો ખોરાક લેવો તેમજ ઉકાળેલું પાણી પીવું જોઈએ.ટાઇફોઈડની રસી મુકાવવી જોઈએ.બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો જોઈએ નહિ.
(49) હિપેટાઇટિસ- A એ____દ્વારા થતો રોગ છે.
જવાબ- વાઇરસ
(50) નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છર દાનીનો ઉપયોગ કરવો જોઈએ?
(A) કોલેરો (B) પોલિયો
(C) અછબડા (D) મેલેરિયા
જવાબ-(D) મેલેરિયા
(51) મેલેરિયાથી બચવાના ઉપાયો જણાવો.
જવાબ- સૂવામાટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. મચ્છર ભગાડવાનાં રસાયણો વાપરવાં જોઈએ. કિટનાશકનો છંટકાવ કરવો જોઈએ. આજુ-બાજુ ભરાયેલા પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતાં અટકાવવા જોઈએ.
(52) ____નામના બેક્ટરિયાથી એથેંક્સ નામનો રોગ થાય છે.
જવાબ- બેસીલસ
(53)____નામના વૈજ્ઞાનિકે બેસીલસ એન્વેસિસ નામના બૅક્ટરિયાની શોધ કરી.
જવાબ- રોબર્ટ કોશ
(54) ઢોરમાં____અને_____રોગ વાઈરસ દ્વારા થાય છે.
જવાબ- ફૂટ અને માઉથ ડિસીઝ
(55) વનસ્પતિમાં સૂક્ષ્મજીવો ને લીધે થતા રોગો જણાવી તે ક્યા સૂક્ષ્મજીવો દ્વારા અને કેવી રીતે ફેલાય છે તે જણાવો.
જવાબ-વનસ્પતિમાં સાઇટ્રસ કેન્કર નામનો રોગ બેક્ટરિયાથી થાય છે,જે હવા દ્વારા ફેલાય છે.ઘઉંનો રસ્ટ ફૂગ દ્વારા થાય છે.તેમજ હવા અને બીજ દ્વારા ફેલાય છે. ભીંડાનો પિત્ત (ઓકરા) વાઇરસથી થાય છે અને કીટકો દ્વારા ફેલાય છે.
(56) ઓકરા એ કઈ વનસ્પતિમાં થતો રોગ છે?
જવાબ- ઓકરા એ ભીંડામાં થતો રોગ છે.
(57) ખોરાક વિષાકતન એટલે શું?
જવાબ- સૂક્ષ્મ જીવો દ્વારા ખોરાક દૂષિત કરવામાં આવે છે. જેમાં ખોરાકમાં સૂક્ષ્મ જીવો દ્વારા વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે.જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે.જેને ખોરાક વિષાકતન કહે છે.
(58) ટૂંક નોંધ લખો :સૂક્ષ્મજીવો દ્વારા થતાં નુકસાન
જવાબ- કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય,પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મ જીવો કહે છે. કેટલાંક સૂક્ષ્મજીવો પ્રાણીઓમાં પણ રોગો સર્જે છે.ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાઇરસ દ્વારા થાય છે . તે સિવાય મનુષ્યમાં ઓરી,અછબડા,ટી.બી,કૉલેરા,ટાઇફોઇડ,મેલેરિયા વગેરે જેવા રોગો સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે.ઘઉં,ડાંગર, બટાટા,શેરડી જેવી વનસ્પતિઓમાં સૂક્ષ્મજીવો રોગો સર્જે છે.જેથી પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.સાઇટ્રસ કેન્કર, ઘઉંનો રસ્ટ,ઓકરા જેવા રોગો વનસ્પતિમાં થાય છે. ખોરાકમાં સૂક્ષ્મ જીવો દ્વારા વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે.જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે.જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે. ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક,કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે.
જવાબ- ખાદ્ય પદાર્થોની જાળવણી માટે રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારા જાળવણી,શર્કરાની મદદથી જાળવણી,તેલ અને વિનેગર દ્વારા જાળવણી.
(60) જાણીતાં પ્રિઝર્વેટિવ્સનાં નામ જણાવો.
જવાબ- સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ જાણીતાં પ્રિઝર્વેટિવ્સ છે.
(61) મીઠા દ્વારા કયા કયા ખાદ્ય પદાર્થોની જાળવણી કરવામાં આવે છે?
જવાબ- બેક્ટરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી,આમળાં તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે.
(62) શર્કરા ખોરાકની જાળવણી કેવી રીતે કરે છે?
જવાબ- જામ,જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે.શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે.જે ખોરાકને દૂષિત કરતા બેક્ટરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે.
(63) તેલ અને વિનેગર દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે થાય છે?
જવાબ- તેલ હવાની અવરજવર તથા ભેજનું પ્રમાણ ઘટાડે છે.વિનેગરના એસિડિક માધ્યમ બેક્ટરિયા જીવી શકતા નથી.તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાંને બગડતાં અટકાવવા માટે કરવામાં આવે છે.આ ઉપરાંત શાકભાજી,ફળ,માછલી તથા માંસની જાળવણી આ પદ્ધતિથી કરવામાં આવે છે.
(64) પેપ્યુરાઇઝેશન એટલે શું?
જવાબ- દૂધને સૂક્ષ્મ જીવો રહિત બનાવવા માટે 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડું કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. જેથી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય છે. જેને પેપ્યુરાઇઝેશન કહે છે.
(65) પેપ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ____કરી હતી.
જવાબ- લૂઈ પાશ્ચરે
(66) રાઈઝોબીયમ બેક્ટેરિયા કયાં વસવાટ કરે છે?
જવાબ- રાઈઝોબીયમ બેક્ટેરિયા શ્મિબી કુળ ની વનસ્પતિ ની મૂળ ગંડિકાઓ માં વસવાટ કરે છે.
(67) નાઇટ્રોજન સ્થાપન કઈ કઈ રીતે થાય છે?
જવાબ- રાઈઝોબીયમ બેક્ટેરિયા શિમ્બી કુળ ની વનસ્પતિ ના મૂળ ગંડિકાઓ મા રહીને જમીનમાં નાઈટ્રોજન સ્થાપન કરે છે. વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઈટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે.
(68) વાતાવરણીય નાઈટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સુક્ષ્મ જીવો ના નામ જણાવો.
જવાબ- રાઈઝોબીયમ બેક્ટેરિયા,નોસ્ટોક અને એનાબીના લીલ.
(69) વાતાવરણમાં____℅ નાઇટ્રોજન વાયુ છે.
જવાબ-78
(70) નાઇટ્રોજન ચક્ર આકૃતિ દોરી સમજાવો.
જવાબ-
- વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78 % છે.
- નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે.તે સજીવોના બંધારણીય ઘટકો જેવા કે પ્રોટીન,ક્લોરોફિલ,ન્યુક્લિીક ઍસિડ તેમજ વિટામિન્સમાં હાજર હોય છે.
- વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી.
- ભૂમિમાં રહેલા કેટલાક બેકટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને તેનું પાણીમાં દ્રાવ્ય તેવા યોગ્ય ક્ષારમાં રૂપાંતર કરે છે.
- જયારે નાઇટ્રોજન દ્રાવ્ય ક્ષારમાં રૂપાંતરિત થઈ જાય છે,ત્યારે વનસ્પતિ તેના મૂળતંત્ર દ્વારા ભૂમિમાંથી તેનું શોષણ કરે છે . વનસ્પતિ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે.
- વનસ્પતિઓ પર આધાર રાખતાં પ્રાણીઓ પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો સ્વરૂપે નાઇટ્રોજન વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે.
- વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનાં મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેકટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યો સજીવોના અવશેષોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે.
- કેટલાક વિશિષ્ટ બેક્ટરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. જે વાતાવરણમાં ચાલ્યો જાય છે.પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે.
- જેનું ફરીથી જૈવિક સ્થાપન થાય છે.આમ, નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે