(ઊર્મિ ગીત) મનોહર ત્રિવેદી
પ્રશ્ન 1.નીચે આપેલા વિક લ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો:
1. ‘તને ઓળખું છું, માં’ કવિતા ના કવિ કોણ છે?
A. ગાંધીજી
B. ધૂમકેતુ
C. મનોહર ત્રિવેદી✅
D. રાજેન્દ્ર શાહ
2.બાળકના ક્ષેમકુશળ માટે માતા ના મુખેથી કયો શબ્દ વારંવાર પડે છે?
A. ખમ્મા✅
B. ઓવારણા
C. અભાગી
D. સાચવજે
3.બાળકને દુઃખ લઇ લેવાના ભાવથી માતા શું કરે છે?
A. માથે હાથ ફેરવે છે
B. ઓવારણા લે છે✅
C. હાથ પકડી બેઠો કરે છે
D. સતત એની સાથે રહે છે
પ્રશ્ન-૨.નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
1.કવિતા નો પ્રકાર ઉર્મિગીત છે -ખરું
2.કવિને જ્યારે ઘરથી દૂર જવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમની આંખની સામે તેમની મા હોય છે-ખરું
પ્રશ્ન-3.નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો:
1. માતાના હાથના સ્પર્શથી શેનો અનુભવ થાય છે ?
જવાબ. માતાના હાથના સ્પર્શથી જાણે દરેક પીડા શું થઈ જતી હોય, એટલે કે દરેક મુશ્કેલી માંથી નીકળી જતા હોઇએ તેઓ અનુભવ થાય છે.
2.માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે ?
જવાબ. માની મમતાને ન પામી શકનાર માટે કવિ ‘અભાગી’ શબ્દ વાપરે છે.
3.’અભાગી’ શબ્દ નો અર્થ આપો.
જવાબ. ‘અભાગી’ શબ્દ એટલે દુર્ભાગ્યશાળી કે જેને વ્યક્તિ નો કે વસ્તુ નો પ્રેમ ભાગ્યમાં નથી તેવા.
4.કવિ કોની પરિક્રમા કરવા નુ કહે છે ?
જવાબ. કવિ મા ની પરિક્રમા કરવાનું કહે છે.
5.કવિને લુ ઝરતા મારગમાં કોની લહેરખી મળે છે?
જવાબ. કવિ ને લુ ઝરતા મારગમાં માં ની લાગણીરૂપી લહેરખી મળે છે .
પ્રશ્ન 4.નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યો માં લખો
1.કવિને માતા ની લહેરખી ક્યારે અનુભવાય છે?
જવાબ. કવિને માતા ની લહેરખી તેઓ જ્યારે લુ ઝરતા વાતાવરણમાં, એટલે કે મુશ્કેલીથી વિટળાયેલા સમય માં ફસાયા હોય, ત્યારે માતા ની લહેરખી સ્વરૂપે તેમાંથી તે બહાર નીકળી શકે છે. એવું લાગે છે આમ કવિ માતાની લહેરખી મુશ્કેલ સમયમાં અનુભવે છે.
2.કવિ માતા ની પરિક્રમા કેવી રીતે કરે છે?
જવાબ. કવિ માતા ની પરિક્રમા તીરથ સમજી વારંવાર કરે છે. કવિ કહે છે કે ‘સ્મરણ સ્મરણ તીરથ એમ તારી પરિક્રમા કરૂ’. આમ તીર્થ સમાન ગણી માતા ની પરિક્રમા કરે છે.
3.એકલવાયું વરસે છે ચોમાસુ એવું કવિ ક્યા સંદર્ભે કહે છે ?
જવાબ. કવિ કહે છે કે માતાને જ્યારે કોઈ કારણસર વેદના થાય છે, ત્યારે તે ઘરના સભ્યો સામે રડી અને તે વર્ણન કરતી નથી. પરંતુ જ્યારે કોઈ કારણસર તે દુઃખી થાય છે, તે દુઃખને તે ઘરના એક ખૂણામાં જઈને રડી ને કાઢી નાખે છે. આમ માતા દુઃખની લાગણી પોતે જ ઠાલવે છે. ને કોઈને ખબર પડતી નથી.
4.કવિ માની મમતાના ટેકે ક્યાંરે ઊભા થવાની વાત કરે છે ?
જવાબ. જ્યારે કોઈ પ્રશ્ન ને લીધે પોતાને હડધૂત કરવામાં આવે છે. કે પરિવારમાંથી અળગો કરવામાં આવે છે, ત્યારે કવિ માની મમતાને ટેકે ઊભો થઈ શકે છે. એવું કહે છે. આમ માતા ની લાગણી રૂપિ વાણી બાળકને આધાર સ્તંભ બની જાય છે.
5.કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે ?
જવાબ. કવિ માતા ની મમતા અનેક પ્રસંગોમાં અનુભવે છે, જેમકે લુ ઝરતા વાતાવરણમાં માતા ની વાણી નો પવન રૂપી વેગ તેમને શીતળ ઠંડી ની લહેરખી લાગે છે. તેમજ જ્યારે કોઈ બાળકને હેરાન-પરેશાન કરે કે પરિવારમાંથી છૂટો પાડી દે છે, ત્યારે બાળક માતાની મમતાને અનુભવે છે. આમ કવિ મુશ્કેલીરૂપ પરિસ્થિતિમાં માતાની મમતા અનુભવે છે.
5.પરીક્મ્માં કોની કોની કરવામાં આવે છે? શા માટે ?
જવાબ. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કોઈપણ દેવ કે પવિત્ર સ્થાનની પ્રદક્ષિણા ના કરવી એ પવિત્ર માનવામાં આવે છે. માટે ધાર્મિક સ્થળોએ જઈને લોકો તેમની ફરતે પરિક્મ્મા કરતા હોય છે. આવી પરિક્રમા દેવોની, કોઈ ધાર્મિક સ્થળોની, માતા-પિતાની તેમજ કેટલાક વૃક્ષોની પણ થતી હોય છે. આમ ધાર્મિક ગણાતા દરેક દેવ તેમજ ધર્મસ્થાન ની પરિક્મ્મા કરવી પવિત્ર માનવામાં આવે છે. તેથી પરિકમ્મા કરવામાં આવે છે.
કાવ્ય ૪ તને, ઓળખું છું માં
વ્યાકરણ
1.શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો:
1.પવિત્ર જગ્યા કે વ્યક્તિ ની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે – પરિક્રમા
2.આંગળીના છેડાનો ભાગ – ટેરવા
3.ક્ષેમ કુશળ રહો – ખમ્મા
2.નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
1.મારગ -રસ્તો, પંથ
2.અભાગી- દુર્ભાગ્યશાળી, કમભાગી
3.સદા-હંમેશા, કાયમ
4.સ્મરણ-યાદ, સ્મૃતિ
5.લ્હેરખી- તરંગ
6.ભાગ્યશાળી- ભાગ્યવાન, સદભાગી
7.પીડા -દુઃખ, વેદના
8.તીરથ- ધર્મસ્થાન, તીર્થ
9.મમતા- પ્રેમ, લાગણી
10.રાત્રિ-નિશા, રજની
11.આકાશ- નભ, ગગન
12.સમુદ્ર- દરિયો, સાગર
3. તળપદા શબ્દોના અર્થ લખો:
1. પરકમ્મા- પ્રદક્ષિણા
2. તીરથ- ધર્મસ્થાન
4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી અર્થ લખો ના ક્રમમાં ગોઠવો:
1. અભાગી *ભાગ્યશાળી
2. પ્રેમ*નફરત
3. સ્મરણ*વિસ્મરણ
4. દુઃખ*સુખ
5. સરખા પ્રાસવાળા શબ્દો કાવ્ય માંથી શોધીને લખો
1. આંસુ – ચોમાસુ
2. ફેંકે – ટેકે
3. સામે – પામે
6.નીચે આપેલા શબ્દો ને કાવ્ય પંક્તિ ના ક્રમમાં ગોઠવો:
1. ફરી ઊભો પર તારી પગ થાઉં ટેકે મમતાના
જવાબ. પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે
2. ખૂણે વરસે છે ઘરને એકલવાયું ચોમાસુ
જવાબ. ઘરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસું,
3. હોય છે સદા ના પામે? કોણ માને અભાગી આમ
જવાબ. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?
7. નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
પાંપણ, ઓળખું, વરસે, સ્મરણ, તીરથ, લુ
જવાબ. ઓળખું,તીરથ, પાંપણ,લુ, સ્મરણ
8. નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારા શબ્દોમાં લખો:
1. તમને તમારી માતા ગમે છે, એના કારણો કે પ્રસંગો જણાવો:
જવાબ. મને મારી માતા ખૂબ જ ગમે છે કારણ કે, તે મને ખૂબ જ સારી રીતે સાચવે છે. કોઈપણ કામ કરું ત્યારે તે મને માર્ગદર્શન પૂરું પાડે છે. મારું સતત ધ્યાન રાખે છે. જ્યારે કોઈ મને હેરાન કે પરેશાન કરતું હોય ત્યારે તે હંમેશા મને શાંત કરે છે. શાળા એ જાવ ત્યારે પણ મારું ખૂબ સાવચેતીપૂર્વક ધ્યાન આપી, લેશન વગેરે કરાવે છે. અને પરીક્ષાની અગાઉ જ મારા દરેક વિષયની ખુબ સરસ તૈયારી કરાવે છે. સમયસર મને દરેક કાર્ય કરવામાં મદદ કરે છે. આથી મને મારી માતા ખૂબ જ ગમે છે. તેમજ તે મારો આત્મવિશ્વાસ પણ વધારે છે.
2. મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો?
જવાબ. મોટો થઈને હું મારી માતાને ખૂબ જ સાચવીશ. અને તેના સ્વાસ્થ્યનો ખૂબ જ ધ્યાન રાખીશ. તેની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે હું તેને ઘરકામમાં ખૂબ જ મદદ કરીશ. અને તેમને દરેક જગ્યાએ મદદરૂપ થઈશ. હું મારી માતાને ધર્મસ્થાનોમાં તીર્થ યાત્રા કરાવીશ. અને એમને કોઈપણ જાતનું દુઃખના લાગે તેની કાળજી રાખીશ. તેમને જે વસ્તુ ગમશે તે હું તેમને લાવી આપવાનો પ્રયત્ન કરીશ. તેમજ તેને ભજન સાંભળવા ગમે તો હું તેના માટે સીડી પ્લેયર લાવી આપીશ. આમ મારી માતાને ક્યારેય કોઈ પણ એ વાતનું દુઃખ થવા દઈશ નહીં.
3. મા વિશેની અન્ય કોઈ એક કવિતાની પાંચ પંક્તિઓ લખો.
જવાબ.
થયે જુદા, તોયે મુજ
હૃદયની શૂન્ય કુટીરે
વીરાજેલી બા! તું નવ કદીયે હું દૂર ચસવા
દવુ, મારે માટે વિકટ પંથ માં તું જ સઘળું.
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણ પટ માહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાખી થૈ કૈં,કંઇ સહજ વા ગોડ છ બદલી.
4. ‘તને ઓળખું છું, મા’ કવિતા પરથી માતૃઋણનો તમને ગમતો કોઈપણ એક પ્રસંગ તમારી નોટબુકમાં લખો.
જવાબ. આ કાવ્યમાં કવિએ માતા ના પ્રેમની વાત કહી છે.
માતાને બાળક પ્રત્યે અપાર સ્નેહ હોય છે. એ આ કાવ્યમાં ખુબ સચોટ રીતે દર્શાવવામાં આવ્યો છે. કાવ્યમાં કવિ કહે છે કે બાળક ગમે ત્યાં હરતું ફરતું હોય, પરંતુ માતા નો પડછાયો હંમેશા તેના ઉપર રહેલો હોય છે. અને તેને લુ ઝરતા વાતાવરણમાં પણ ઠંડા પવનની લહેરખી આવી જતો હોય છે. એટલે કે ગમે તેવી મુશ્કેલીઓથી પોતાનું સંતાન વીટળાયેલુ હોય, તો માતા ની વાણી રૂપે શબ્દો એ બાળકને ઠંડક આપે છે. આમ માતાની આ ખુબજ મોટી ભેટ સંતાનોને મળેલી હોય છે.