1. ‘અખંડ ભારતના શિલ્પી’ પાઠના લેખકનું નામ જણાવો .
ઉત્તર : ‘અખંડ ભારતના શિલ્પી’ પાઠના લેખકનું નામ રાઘવજી માધડ છે .
2. આ પાઠનું સાહિત્ય સ્વરૂપ શું છે ?
(A) વાર્તા
(B) ચરિત્રલેખ ✓
(C) આત્મકથાખંડ
(D) ડાયરી
3. બારડોલીની લડત વલ્લભભાઈની સિદ્ધિઓનું એક શિરછોગું ગણાય છે .(√ કે X )
ઉત્તર: ✓
4.“વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે ” – એમ લેખક શા માટે કહે છે ?
ઉત્તર : અંગ્રેજોએ ખેડૂતો પર અન્યાયરૂપી મહેસૂલ – વધારો નાખ્યો હતો . વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો . આ દૃષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ હતું .
5. બારડોલીની સમગ્ર લડતનો દોર ……… ના હાથમાં હતો.
ઉત્તર : વલ્લભભાઈ
6. વલ્લભભાઈને ‘ સરદાર’નું બિરુદ કોણે અને ક્યારે આપ્યું ?
ઉત્તર : ગાંધીજીએ વલ્લભભાઈને ‘ સરદાર ‘ નું બિરુદ આપ્યું . બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા . એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ‘ ના ’ પાડતાં કહેલું કે અહીંના ‘ સરદાર ‘ વલ્લભભાઈ છે .
7. વલ્લભભાઈ લોકોના હૈયામાં કેવું સ્થાન પામ્યા હતા ?
ઉત્તર : બારડોલી લડતમાં વલ્લભભાઈના પ્રદાનના કારણે તેમને ‘ સરદાર ‘ નું બિરુદ મળ્યું . પછી તેઓ માત્ર ખેડૂતના સરદાર ન રહેતાં . સમગ્ર દેશના લોકહૈયામાં માનભર્યું સ્થાન પામ્યા હતા .
8. વલ્લભભાઈનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ?
9. વલ્લભભાઈનું વતન ખેડા જિલ્લાનું કયું ગામ હતું ?
(B) મહેમદાવાદ
(C) ડાકોર
(D) ગણેશપુરા
10. વલ્લભભાઈના પિતાનું નામ જણાવો .
ઉત્તર : વલ્લભભાઈના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ હતું.
11. ઝવેરભાઈની વિગતે માહિતી આપો.
ઉત્તર : વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા . દ્રઢતા અને દેશભક્તિ તેમની નસેનસમાં ધબકતી હતી . ઈ.સ. 1857 માં સ્વતંત્રતા સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા.
12. ગાંધીજીની દષ્ટિએ સાચું જીવન કોનું છે ?
ઉત્તર : ગાંધીજીની દષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે.
13. વલ્લભભાઈએ ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી . ( √ કે X) છે .
ઉત્તર :√
14. વલ્લભભાઈએ બાળપણમાં કઈ વાત આત્મસાત્ કરી હતી ?
ઉત્તર: “ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે . ” આ વાત વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત્ કરી હતી.
15. વલ્લભભાઈએ પ્રાથમિક અને ઉચ્ચશિક્ષણ ક્યાં મેળવ્યું હતું ?
ઉત્તર: વલ્લભભાઈએ ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.
16.વિદ્યાર્થીવયથી જ વલ્લભભાઈમાં કયાં ગુણબીજ પહેલાં હતાં ?
ઉત્તર : વિઘાર્થીવયથી જ વલ્લભભાઈમાં નીડરતા , નેતાગીરી અને દઢ સંકલ્પબળ જેવા ગુણોનાં બીજ પડયા હતાં.
17. વલ્લભભાઈને થયેલી કાખબલાઈ માટે વૈધરાજે કયો ઉપાય વિચાર્યો હતો ?
ઉત્તર : વલ્લભભાઈને થયેલી કાખબલાઈના ઇલાજ માટે ગામના વૈધરાજે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દૈવાનો ઉપાય વિચાર્યો હતો .
18. વૈદ્યરાજ શા માટે અવઢવ અનુભવવા લાગ્યા હતા ?
ઉત્તર : વૈઘરાજ લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માટે અવઢવ અનુભવવા લાગ્યા હતા . કારણ કે એ વખતે વલ્લભભાઈ સાવ નાનું કુમળું બાળક હતા .
19. વલ્લભભાઈએ વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો . (√કે×)
ઉત્તર : √
20. વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા , એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ ?
ઉત્તર : વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખબલાઈ થઈ હતી , વૈદ્યરાજ એમના ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માગતા હતા પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા. પરંતુ તેમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો . સૌ એમની નીડરતા જોઈને દંગ રહી ગયા હતા . આ ઘટના પરથી કહી શકાય કે તે બાળપણથી જ નીડર હતા .
21. વલ્લભભાઈએ બચત કરી કેમ પૈસા ભેગા કર્યા હતા ?
22. વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે
ઉત્તર : વિદેશ જવા માટે બચત કરીને ભેગા કરેલા પૈસા વલ્લભભાઈએ પોતાના મોટાભાઈને લંડન જવા માટે આપી દીધા , આ ઘટનામાં તેમનો ભાઈ માટેનો પ્રેમ જોવા મળે છે.
23. વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુર્યથી એક સફળ ……….તરીકેની નામના મેળવી હતી .
ઉત્તર : વકીલ
24. કોર્ટની કાર્યવાહી દરમિયાનમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા ?
25. વલ્લભભાઈનું વ્યક્તિત્વ નાળિયેર જવું હતું. વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત જણાવો.
ઉત્તર : વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત એ હતી કે તેની કોઈનાથી પણ ડરતા નહી, ભલભલા શરમ વિના સાથે અને શેર શરમ વિના સંભળાવી દેતા.
27. કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો ?
ઉત્તર : વલ્લભભાઈની વાણીમાં જોશ – જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો .
28. પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈ ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી ?
ઉત્તર : મને આ વાત ખૂબ ગમી; બારડોલીની લડત માટે ખેડૂતોનો ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતાં સરદાર કહે છે, “લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઊઠીને તમારે સૂરજ) ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી, ખેતરમાં કરતાં રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ, એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે.”
29.સરદાર પટેલ કયો નિશ્ચય કાયમ રાખવાનું કહે છે ? કેમ ?
ઉત્તર : સરદાર પટેલે અંગ્રેજ સરકારને આપણા હાથેથી એક દમડી પણ આપવી નથી, એ નિશ્વય કાયમ રાખવાનું કહે છે . કારણ કે જો એ ન થાય તો જીવ્યુ ન જીવ્યુ થઈ જશે અને તાલું કો કાયમના માટે બોજમાં પડશે.
ઉત્તર: વિનોદી
31. વલ્લભભાઈના વિનોદના ઘણા પ્રસંગો શેમાં નોંધાયા છે ?
ઉત્તર : વલ્લભભાઈના વિનોદના ઘણા પ્રસંગો મહાદેવભાઈની ડાયરીમાં નોંધાયા છે ,
32. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો….
(A) ભાવાત્મક ગફલત
(B) સાંવેગિક ગફલત
(C) રચનાત્મક ગફલત ✓
(D) ઔપચારિક ગફલત
ઉત્તરઃ વલ્લભભાઈની રમૂજવૃત્તિ આ પ્રસંગમાં જોવા મળે છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો ‘રચનાત્મક ગફલત’. એમને આ શુદા વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય ? પણ સરદારે બિરબલની છટાથી કહ્યું, “ન સમજ્યા ? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ !”
34. વલ્લભભાઈ એ……… પણ. વેઠી હતી.
ઉત્તર: જેલયાત્રા
35. વભભાઈની ધરપકડ ક્યારે કરવામાં આવી ?
ઉત્તર : વલ્લભભાઈની ધરપકડ દાંડીયાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી કરી હતી.
36. વલ્લભભાઈની જેલયાત્રા વિશે માહિતી આપો .
ઉત્તર : દાંડીયાત્રાના પાંચ દિવસ પહેલાં રાસ ગામમાંથી વલ્લભભાઈની અંગ્રેજ સરકાર દ્વારા ધરપકડ કરી તેમને અમદાવાદની સાબરમતી. સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. તેમની જેલયાત્રાનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં જોવા મળે છે. તેની એક ઝલક આવી છે : વલ્લભભાઇન ચોર લૂંટારો ની જેમ રાખવામાં આવ્યા હતા. તેમને સુવા માટે એક કામળો આપ્યો હતો. તેમને ખોરાકમાં જાડા રોટલા ને દાળ અને સાંજે રોટલાને શાક આપતા. આ ખોરાક ઘોડા ખાય એવો હતો.
37. વલ્લભભાઈની જેલયાત્રાનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં જોવા મળે છે . ( ✓કે X )
ઉત્તર: ✓
38. વલ્લભભાઈની મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સાથે થયેલ મુલાકાતના અંશો જણાવો.
ઉત્તર : આચાર્ય કૃપલાણીજી વલ્લભભાઈ સાથેના મુલાકાતના અંશો આ મુજબ છે :
“તમને કેવી રીતે રાખે છે ?”
“ચોર – લૂટારાની જેમ મને રાખે છે.”
”સૂવાને માટે શું ?”
“એક કાળો કામળો છે, તેની ઉપર આળોટીએ છીએ.” ખોરાકનું કેમ છે ?”
“ખોરાકનું તો શું પૂછવું ? બપોરે કંઈક જાડા રોટલા ને દાળ , સાંજે રોટલા ને શાક એમ આપે છે . ઘોડાને ખપે તેવું જ હોય છે . ”
39. જેલયાત્રા દરમિયાન વલ્લભભાઈને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?
ઉત્તર : જેલયાત્રા દરમિયાન વલ્લભભાઈને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા .
40. સરદારને જ્યાં રાખવામાં આવ્યા હતા તે વિભાગને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
ઉત્તરઃ સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને ‘સરદાર સ્મૃતિ વિભાગ’તરીકે ઓળખવામાં આવે છે.
41. કવિ હરિવંશરાય બચ્ચને વભભાઈને શાની ઉપમા આપી છે ? શા માટે ?
ઉત્તર : કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને ‘ હિંદ કી નીડર જબાન’ની ઉપમા આપી છે ; કારણ કે તેમણે સરદાર માટે લખેલી એક કવિતા દ્વાર જાણવા મળે છે કે તેઓ દરેક પક્ષને જાણી – ચકાસીને તેનો નીડરતાથી ભેદ ખોલતા . સત્ય ભલે કઠોર હોય તો પણ બોલી દેતા.
42. સરદાર જનસમુદાયની નાડના પારખુ ન હતો (✓ કે X )
ઉત્તર: ✓
43. ………. પર વલ્લભભાઈની જબરદસ્ત પકડ હતી.
ઉત્તર: લોકસમુદાય
44.વલ્લભભાઈની બુદ્ધિચાતુર્યનાં દર્શન શેમાં થતાં હતાં ?
ઉત્તર : દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળ ધરાવતા સરદારના ઉદ્ગારો આ પ્રમાણે હતો : “‘ હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે , જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય . બધાં ગુજરાતીઓને ટકોર મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે . પૈસા હોય તે પાલવે તો દેશપલાયન થાય . શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે . ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધનાં મંડાણ કરશે . પ્રભુ સૌનું કલ્યાણ કરે . ઈશ્વર સહુને સહાય કરે . ”
46. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. ( ✓ કે X )
ઉત્તર : ✓
47. લેખકે કયા ત્રણ દેશભક્તોને ‘ત્રિમૂર્તિ’ કહ્યા છે ? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો.
ઉત્તર : લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુ-એમ ત્રણ પ્રખર દેશભક્તોને ત્રિમૂર્તિ કહ્યા છે. ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નહેરુએ સોંદર્યનું મહિમાગાન કર્યું.
48. સરદારનાં કયાં ઉદાહરણો ઇતિહાસનાં સોનેરી પાને લખાઈને પડ્યાં છે ?
ઉત્તર : સરદારનાં નૈતિકતા, દઢ મનોબળ અને વ્યવહારુપણાનાં અનેક ઉદાહરણો ઇતિહાસના પાને લખાઈને પડ્યાં છે.
49. સરદારની કઈ ભૂમિકાને ઇતિહાસ ક્યારેય ભૂલી નહિ શકે ?
ઉત્તરઃ સરદારની ભારતના ગૃહપ્રધાન તરીકેની ભૂમિકાને ઇતિહાસ ક્યારેય પણ ભૂલી નહીં શકે .
50. રજવાડાંના વિલીનીકરણની જવાબદારી કપરી શા માટે હતી ?
ઉત્તરઃ રજવાડાંના વિલીનીકરણની જવાબદારી કપરી હતી; કારણ કે ભારતમાં નાનાં – મોટાં અનેક રજવાડાંઓ હતાં. આ રજવાડાંના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તેઓ પોતાનાં રજવાડાં છોડવા તૈયાર નહોતા.
51. વિનોબાના મતે સરદારના સ્વભાવની લાક્ષણિકતા કઈ હતી ?
ઉત્તર : વિનોબાના મતે ‘ સરદાર સ્પષ્ટ બોલતા હતા. પ્રહાર કરતાં તે ડરતા નહિ. ભલે કોઈને ગમે તે લાગે. વળી, વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા.
52. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ સરદાર માટે શું લખે છે ?
ઉત્તર : ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ સરદાર માટે લખે છે, “ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક હતી. અને વિરોધીઓનો વિનાશ કરી નાંખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું.”
53. ગાંધીજીએ સરદારના છૂપા સ્વરૂપને છતું કરતાં શું જણાવ્યું હતું ?
ઉત્તર : ગાંધીજીએ સરદારના એક અત્યંત છૂપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું “સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાઝ અને અનંત ધીરજના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે, તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું.”
54. વલ્લભભાઈનો જીવનમંત્ર કયો હતો ?
ઉત્તર : ‘ સાદું જીવન અને ઉચ્ચ વિચાર ’ એ વલ્લભભાઈનો જીવનમંત્ર હતો.
55. વલ્લભભાઈનો જીવનમંત્ર મેને વારસામાં મળ્યો હતો ?
ઉત્તર : વલ્લભભાઈનો જીવનમંત્ર તેમની પુત્રી મણિબહેનને પણ વારસામાં મળ્યો હતો.
56. મણિબહેન પટેલ વિશે માહિતી આપો .
ઉત્તર : વલ્લભભાઈ પટેલની દીકરી મણિબહેને એમના પિતાની ઉત્સાહથી સેવા કરી હતી. તેમને સાદગીનો ગુણ વારસામાં મળ્યો હતો. તેમની સાદગી એવી હતી કે તેઓ થીગડું મારેલી સાડી પહેરવામાં પણ નાનમ અનુભવતાં નહોતાં.
57. અખંડ ભારતના શિલ્પીનું નિધન ક્યારે થયું હતું ?
58. ચરોતરના નાનકડા ગામના વતની એવા વલ્લભભાઈએ દેશનાં કયાં પદો પર સેવા આપી છે ?
ઉત્તર : ચરોતરના નાનકડા ગામના વતની એવા વલ્લભભાઈએ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપી છે.
59. પાઠના આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો ?
ઉત્તર : પાઠના આધારે વલ્લભભાઈની વિશેષતા આ મુજબ તારવી શકાય :
1. બારડોલીની લડત
ઉત્તર : અંગ્રેજ સરકાર દ્વારા ખેડૂત પર નાખવામાં આવેલ મહેસૂલ – વધારામાં ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ બારડોલીની લડતના સૂત્રધર બન્યા. તેમણે જાગૃત નેતા તરીકે ખેડૂતોને ચેતવણી આપી કે ખેડૂતોએ લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડ્યે ઘરને તાળાંમા સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણીની જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે. ગરીબ તવંગર બધાએ લડતમાં જોડાવું પડશે. આ લડતથી તેઓ ‘ખેડૂતોના સરદાર’ તરીકે ઓળખાવા લાગ્યા.
( 2 ) નીડર વલ્લભભાઈ
ઉત્તર : વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. નાનપણમાં તેમને કાબબલાઈ થયેલી. વૈદ્યરાજે એનો ઇલાજ કરવા માટે લોખંડના ધગધગતા. સળિયાનો ડામ દેવા વિચાર્યું. પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ કાખબલાઈ ( ગાંઠ ) પર ડામ દઈ દીધો. જોનારાં સૌ દંગ રહી ગયાં. એમની નીડરતાનું દર્શન ભારતનાં તમામ રાજયોના વિલીનીકરણ વખતે પણ થયું હતું.
( 3 ) અખંડ ભારતના શિલ્પી – વલ્લભભાઈ
ઉત્તર : ભારતમાં અનેક નાનાં – મોટાં દેશી રજવાડાં હતાં, અને આ તમામના વિલીનીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઈને સોંપવામાં આવી હતી. પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી. આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. અનેક રાજાઓને સમજાવ્યા. જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું. અંતે તમામનો લોકશાહીના માળખામાં સામેલ કરવાનો શ્રેય સરદાર પટેલને જાય છે. આથી તેઓ ‘અખંડ ભારતના શિલ્પી’ કહેવાય .
61. નીચે ઉલ્લેખવામાં આવેલ પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણોનો ઉલ્લેખ કરો :
ઉત્તર : નીડરતા
ઉત્તર : ભાતૃભાવ
(3) એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો . શબ્દ હતોઃ ‘રચનાત્મક ગફલત’. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલતને વળી. કેવી હોય ? પણ સરદાર જેમનું નામ. બિરબલની છટાથી બોલી ઊઠ્યા: “ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ!”.
ઉત્તર : વિનોદવૃત્તિ
62. સમાનાર્થી શબ્દો લખો :
(1) દોર = ……………
(7) પૈર્ય = ……………
(8) તવંગર = ……………
(9) નવાઈ = ……………
(10) કાયમ = ……………
(11) નામના = ……………
(12) યાતના = ……………
63. વિરુદ્ધાર્થી શબ્દો લખો :
(1) ઇલાજ x ……………
64.જોડણી સુધારો :
(1) નિશચય – ……………
લોખંડી, કરમસદ, વૈદ્યરાજ, શિરછોગું, વિશેષણ, જીવનમંત્ર, ગુણ
ઉત્તર : કરમસદ , ગુણ , જીવનમંત્ર , લોખંડી , વિશેષણ , વૈદ્યરાજ , શિરછોગું
66. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
(1) માથા પરની કલગી
(1) નાડ પારખવી
વાક્ય : સંરધર પટેલ જનસમુદાયની નાડ પારખતા હતા.
વાક્ય : ખેડૂતો પરસેવો પાડીને અનાજ પકવે છે .
(3) દંગ રહી જવું
વાક્ય : વલ્લભભાઈની નીડરતા જોઈ સહું દંગ રહી ગયા .
(5) ગફલત કરવી
વાક્ય : ઉતાવળે કામ કરવાથી ગફલત થઈ જાય .
(6) યાતનાઓ વેઠવી
વાક્ય : ગુલામ ભારતમાં લોકો ખૂબ જ યાતના વેઠતા હતા .
(7) કુનેહપૂર્વક પાર પાડવું
વાક્ય : વલ્લભભાઈએ રજવાડાંઓનું કામ કુનેહપૂર્વક પાર પાડ્યું હતું .
68. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત શબ્દો શોધીને લખો: સરદાર , નસેનસ , કાગળ , છમછમ , ધગધગતા, અલ્પવિરામ, લોખંડી, ઢમઢમ, શૂરવીરતા, માતૃપ્રેમ.
69. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો :
(1) શિરછોગું = ……………
(1) મારી પ્રજા સુખી રહો.