(સોનેટ કાવ્ય)
ઉશનસ્
પ્રશ્ન-1. આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી લખો.
1. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા નું ઉપનામ જણાવો.
A.દર્શક
B.સ્નેહરશ્મિ
C.સુન્દરમ્
D.ઉશનસ્ ✅
2. વળાવી બા આવી કાવ્ય નો સાહિત્ય પ્રકાર જણાવો.
A. સોનેટ ✅
B. ગઝલ
C. ગીત
D. પ્રાર્થના ગીત
3. ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે…
A. દિવાળીની રજાઓ પૂરી થઈ છે. ✅
B. લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે.
C. બધાને પ્રવાસે સાથે જવાનું છે.
D. ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી.
4. સંતાનો દૂર કેમ વસેલા છે?
A. ધંધાર્થે ✅
B. ઝઘડાના ડરથી
C. પોત પોતાના વિકાસ માટે
D. અભ્યાસ માટે
5. ભાભી એ પોતાનો વસાવેલું ઘર એટલે શું?
A. ભાભીનું ભર્યું ઘર
B. પરિવારનું ઘર ✅
C. બા નુ ઘર
D. સુખ-સમૃદ્ધ ઘર
6. સંતાનોને કોણ વડાવા ગયું?
A. બા ✅
B. પડોશી
C. પિતા
D. ફઈ
7. ઘરમાં દાખલ થતા બાએ શું વ્યાપે લુ જોયું?
A. આનંદ
B. વિરહ ✅
C. શોક
D. પ્રેમ
પ્રશ્ન-2. નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો.
1. વળાવી બા આવી કાવ્ય ના કવિ નું નામ જણાવો .
જવાબ:વળાવી બા આવી કાવ્ય ના કવિ નું નામ ઉશનસ્ છે.
2. ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું?
જવાબ:ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ હતું કે, ધંધાર્થે દૂર વસતા સંતાનો દિવાળી વેકેશન પૂરું થતા પોતાના પરિવાર સાથે પાછા જવાના હતા.
3. દિવાળી વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી?
જવાબ:દિવાળી વેકેશનમાં બા નુ ઘર એમના પુત્રો પુત્ર વધુ તથા બાળકો થી હર્યુભર્યું અને આનંદ કિલ્લોલ થી ગુંજતું હતું.
4. કાવ્યમાં માતા-પિતા માટે કયો શબ્દ વપરાયો છે?
જવાબ: કાવ્યમાં માતા-પિતા માટે જનક -જનની શબ્દ વપરાયો છે.
5. કાવ્યમાં વપરાયેલા ગંગાસ્વરૂપ શબ્દ નો અર્થ જણાવો.
જવાબ: ગંગા સ્વરૂપ એટલે વિધવાના નામ આગળ વપરાતું વિશેષણ. વિધવા ના નામ પૂર્વે ગંગાસ્વરૂપ લખાય છે.
6. કાવ્યમાં ઘરડા વડીલો માટે કયો શબ્દ વપરાય છે?
જવાબ:કાવ્યમાં ઘરડા વડીલો માટે ‘જરઠ’ શબ્દ વપરાય છે.
7. માતા-પિતા અને વૃદ્ધ ફોઈના નસીબમાં શું લખાયું હતું? શામાટે
જવાબ:માતા-પિતા અને વૃદ્ધ ફોઈના નસીબ માં વિરહ લખાયો હતો. કારણકે ધંધાથી દૂર વસતા સંતાનો રજાઓમાં આવીને જતા રહે છે. આથી એમણે વૃદ્ધાવસ્થા દરમ્યાન એકાંકી જીવન વિતાવવાનું હતું.
8 વિદાય થતાં ભાઈઓની પત્ની વિષે કવિએ શી ઉપમા આપી છે.
જવાબ:વિદાય થતા ભાઈઓ ની પત્નીઓ વિશે કવિએ, ‘પ્રિયવચનમંદસ્મિતવતી’ એવી ઉપમા આપે છે
9. વિદાય લઈ રહેલા ભાઈઓ ના પરિવારનો પરિચય આપો.
જવાબ:વિદાય લઈ રહેલા ભાઈઓ ની સંખ્યા ત્રણ છે. સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો છે. જ્યારે બીજા બે નાના ભાઈઓ ના કુટુંબમાં તેમને નવપરણિત પત્નીઓ છે.
10. કાવ્યમાં નવપરણિત પત્નીઓ માટે કયો શબ્દ વપરાયો છે?
જવાબ:કાવ્યમાં નવપરણિત પત્નીઓ માટે નવોઢા શબ્દ વપરાયો છે.
11. બધાને વળાવીને પાછી ફરેલી બા ની સ્થિતિ કેવી થઈ?
જવાબ: બધાને પોતાના સંતાનોને વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહ ના દુઃખથી ભાંગી પડી. અને ઘરના પગથિયા પર બેસી ગઈ.
12. ગૃહ વ્યાપી વિરહ જોઇ બા ક્યાં બેસી પડી?
જવાબ : ગૃહ વ્યાપી વિરહ જોઈ બા ઘરના પગથીયે જ બેસી પડી.
પ્રશ્ન-3 નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિસ્તારથી લખો:
1. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે?
જવાબ : વિદાય ની આગલી રાતે વડીલોનું મન વિરહના દુઃખમાં ડૂબેલું હતું. પુત્રો પુત્રવધૂઓ અને તેમના બાળકો માટે આનંદની ક્ષણો માણી રહેલા વડીલો માટે તેમની સાથે વ્યતીત કરવાની છેલ્લી રાત હતી. પછી બધા પોતાના પરિવાર સાથે ધંધાર્થે રવાના થઇ જશે. ઘર ખાલી થઈ જશે. અને ફરી પાછી જીવનમાં એકલતા આવશે.
2. ગઈ અર્ધી વસ્તી એવું કવિ કેમ કહે છે?
જવાબ : ત્રણ ભાઈઓમાં નાના બે ભાઈઓ નવપરણિત છે. જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે દિવાળીની રજાઓ પૂરી થતા, સવારે આ મોટાભાઈ તેમની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે. આમ ઘરમાંથી કુટુંબની અર્ધી સંખ્યા ઓછી થઈ જાય છે. આથી કવિ ગઈ અર્ધી વસ્તી એમ કહે છે.
3. વાત્સલ્યમૂર્તિ મા વિશે દસ બાર વાક્યો લખો.
જવાબ : મા શબ્દ પ્રેમ મમતા અને વાત્સલ્ય થી ભરેલો છે. આ શબ્દમાં નર્યો નીતરતો સ્નેહ કવિ શ્રી બોટાદકર ની આ પંક્તિમાં જોવા મળે છે. “ગંગાના નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ જો… જનનીની જોડ”
બાળકો માટે સર્વસ્વ ન્યોછાવર કરતી માં માનવ જીવનમાં જ નહિ પરંતુ પ્રાણી જગતમાં પણ અજોડ છે. પોતાના સંતાનોને દરેક મુશ્કેલીમાંથી બચાવવા માટે તે ગમે તેવી મહા મુસીબત સાથે પણ બાથ ભીડી લે છે. માનો પ્રેમ જેઠની ગરમીમાં શ્રાવણ નો અનુભવ કરાવે છે. તેથી જ તો કહ્યું છે મા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે.
પ્રકરણ ૧ વળાવી બા આવી
પ્રશ્ન-4. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો.
1.સવારે ભાભીનું…. પ્રિયવચનમંદસ્મિતવતી
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
2. રજાઓ દિવાળી તણી…… જનક જનનીને ઘર તણા,
રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી,
દાડા ઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજના,
જવાના કાલે તો; જનક જનનીને ઘર તણા,
પ્રશ્ન 5.નીચેની કાવ્ય પંક્તિ નો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો.
(1) વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે.
જવાબ : ધંધાર્થે બહાર વસેલા સંતાનો માતા-પિતા અને ફોઈને મળવા સહ પરિવાર આવે છે, ત્યારે વૃદ્ધ લોકોના દિવસો આનંદથી પસાર થઇ જાય છે. પણ જ્યારે રજાઓ પૂરી થતા બા પોતાના સંતાનોને એક પછી એક વળાવી પાછી આવે છે, ત્યારે ઘરના પગથીયે જ બેસી જાય છે. ઘરમાં વ્યાપેલી શાંતિ વૃદ્ધ જનોના જીવનમાં એકલતા પાછી ફરી તેનો અનુભવ કરાવે છે:
વ્યાકરણ:
1.નીચેના વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્યપંક્તિ સ્વરૂપે લખો:
1. સઘળું શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ. ગઈ ➡️
અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું.
2. કાલે તો જવાના ઘર તણા જનક જનનીને ➡️
જવાના કાલે તો જનક જનનીને ઘર તણા.
3. આવી બા સકલ નીજ સંતાન ક્રમશઃ વળાવી➡️
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
4. નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નીજ જગા બેઠો.➡️
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો ની જગા,
5. ભર્યું ભાભી નું ઘર લઈ સવારે ભાઈ ➡️
ઉપડ્યા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા.
6. ભાર્યા ઓ નવોઢા પ્રિયવચનમંદસ્મિતવતી; ➡️
નવોઢા ભાર્યાઓ, પ્રિયવચનમંદસ્મિતવતી;
7. જોયો ગૃહ વ્યાપી પડી વિરહ બેસી પગથિયે ➡️
ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે.
2. નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો.
1. જનની – માતા, જનેતા
2. રજની -યામિની, રાત્રી
3. ભાર્યા -પત્ની, વધુ
4. જરઠ -ઘરડું, વૃદ્ધ
5. નવોઢા -નવવધુ, નવપરણિતા
6. જનક -પિતા, તાત
7. દહાડો -દિન, દિવસ
8. પ્રાતઃકાલ -પ્રભાત, સવાર
9. ધંધો -વ્યાપાર ,વ્યવસાય
10. ગૃહ -ઘર, મકાન
3. વિરુદ્ધાર્થી શબ્દ લખો.
1. નિયત×અનિયત
2. મંદ×તીવ્ર
3. સવાર×સાંજ
4. શાંતિ×અશાંતિ
5. પ્રિય×અપ્રિય
6. મિલન×વિરહ
7. સ્મિત×રુદન
8. માતા×પિતા
9. ઘરડું×યુવાન
4. નીચે આપેલા શબ્દો ને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવો.
જનક ,પ્રથમ ,દિવાળી ,સંતાન ,બપોર, ગંગાસ્વરૂપ , પગથિયું
ઉત્તર: ગંગા ,સ્વરૂપ ,જનક, દિવાળી, પગથિયું બપોર , સંતાન
5. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
1. વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ – ગંગા સ્વરૂપ
2. નવી પરણેલી સ્ત્રી – નવોઢા
3. પ્રિય બોલનારી અને ધીમે ધીમે હસતી સ્ત્રી – પ્રિયવચનમંદસ્મિતવતી
4. એક પછી એક – ક્રમશ
6. માતા વિષયક સુવિચારો કહેવતો અને પ્રચલિત પંક્તિઓ મેળવીને તમારી નોટબુકમાં લખો
– “માં તે માં બીજા બધા વગડાના વા”
– “વાત્સલ્યમૂર્તિ એટલે માં”
-” માં જોવું હોય તો જીવન મધુરુ એના વગર બધું અધૂરું”