ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પાઠ : ૦૯ આપણું ઘર : પૃથ્વી
- આપણી પૃથ્વી એ ………… પરિવારની એક સભ્ય છે.
ઉત્તર :સૌર2. સૂર્ય કયા તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે?
ઉત્તર :મંદાકિની3. સૌર પરિવાર (સૌરમંડળ)માં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર : સૌર પરિવાર કે સૌરમંડળમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે.4. ટૂંક નોંધ લખો : સૂર્યમંડળ
ઉત્તર : સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે. તેની આસપાસ નાના-મોટા સભ્યો ગોળારૂપે છે, જેને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે-તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ફરે છે. આ ગ્રહો સૂર્યપ્રકાશના કારણે પ્રકાશિત દેખાય છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચુન – એમ કુલ આઠ ગ્રહો છે. આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે.
આમ, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ બધુ મળીને સૌરમંડળ બને છે.5. સૂર્ય પૃથ્વી કરતાં કેટલો મોટો છે?
ઉત્તર : 13 લાખ ગણી6. પૃથ્વી કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ ………. ગણું વધારે છે.
ઉત્તર : 287. જો કોઈ પદાર્થનું વજન પૃથ્વી પર 2 કિગ્રા હોય તો તે પદાર્થનું સૂર્યની સપાટી પર વજન ……… થાય.
ઉત્તર : 56 કિગ્રા8. બધા ગ્રહો સૂર્યની આસપાસ ચોક્કસ માર્ગે જ ફરે છે, કારણ કે…….
ઉત્તર : સૂર્ય અને બધા ગ્રહો ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ બીજા ગ્રહોના ગુરુત્વાકર્ષણબળની સરખામણીએ ખૂબ જ વધારે છે. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે બધા ગ્રહો સૂર્યની આસપાસ ચોક્કસ માર્ગે જ ફરે છે.9. સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે?
ઉત્તર : સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિમી દૂર છે.10. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતાં કેટલો સમય લાગે છે?
ઉત્તર : સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતાં સવા આઠ મિનિટ જેટલો સમય લાગે છે.11. સૂર્ય પર કયા વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે
ઉત્તર : હાઇડ્રોજન અને હીલિયમ12. મને ઓળખો : હું ના હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે.
ઉત્તર : સૂર્ય
- સૂર્યને ‘સજીવોનો પાલક’ કહે છે, કારણ કે…
ઉત્તર :સૂર્ય પર થતી હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઊર્જા કહીએ છીએ. આ ઊર્જા પૃથ્વી સપાટી પર આવે છે. આ સૌર ઊર્જાનો ઉપયોગ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા કરે છે. અને પૃથ્વીના અન્ય સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. સૌર ઊર્જાની ગેરહાજરીમાં પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનાશ પામે. આથી જ સૂર્યને ‘સજીવોનો પાલક’ કહે છે.14. સૌર પરિવારમાં કુલ ……. ગ્રહો છે.
ઉત્તર :815. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે?
ઉત્તર : સૂર્યમંડળમાં આવેલા બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે.16. બાહ્ય ગ્રહોનાં નામ જણાવો.
ઉત્તર : સૂર્યમંડળમાં આવેલા ગુરુ, શિન, યુરેનસ, અને નેપ્ચુન બાહ્ય ગ્રહો છે.17. સૌર પરિવારના કયા ગ્રહોને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે?
ઉત્તર : સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ ગ્રહોને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે.18. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કર્યો છે?
ઉત્તર : બુધ19. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?
ઉત્તર : સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર (Venus) છે.20. મને ઓળખો : હું કદ અને વજનમાં પૃથ્વી જેવો હોવાથી પૃથ્વીના જોડિયા ભાઈ ઓળખાઉં છું.
ઉત્તર : શુક
- કારણ આપો : શુક્રનો અભ્યાસ વધુ થઈ શક્યો નથી.
ઉત્તર :શુક્રને એક પણ ઉપગ્રહ નથી. વળી, તેની આસપાસ વાયુઓ અને ઘટ્ટ આવરણ આવેલું છે; માટે શુક્રનો અભ્યાસ વધુ થઈ શક્યો નથી.22. મને ઓળખો : હું ચળકાટમાં ચંદ્રને મળતો આવું છું.
ઉત્તર : શુક્ર
- પૃથ્વીનું સ્થાન કયા બે ગ્રહોની વચ્ચે છે?
ઉત્તર :શુક્ર અને મંગળ24. પૃથ્વી પોતાની ધરી પર ……. કલાકમાં એક આંટો પૂરો કરે છે.
ઉત્તર :2425. પૃથ્વીને સૂર્યની ફરતે એક આંટો પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે?
ઉત્તર : 365 દિવસ26. મને ઓળખો : દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત મારા પર જોવા મળે છે.
ઉત્તર : પૃથ્વી
- ચંદ્રને પૃથ્વીની ફરતે એક ઓટો પૂરો કરતાં કેટલા દિવસ લાગે છે?
ઉત્તર :29.528. મને ઓળખો : હું પૃથ્વીની આસપાસ ફરું છું.
ઉત્તર : ચંદ્ર
- ટૂંક નોંધ લખો : ચંદ્ર
ઉત્તર :ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરી કરતાં તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરી કરતાં આશરે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી. ચંદ્ર પરપ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ મોટા ખાડાઓ પડી ગયા છે. તેની ઉપર મૃતજ્વાળામુખી પણ આવેલા છે.30. મંગળ ને ……………. ઉપગ્રહો છે.
ઉત્તર :231. વૈજ્ઞાનિકો ……….. ગ્રહ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
ઉત્તર : મંગળ32. સૌર મંડળના કયા ગ્રહને 79 ઉપગ્રહો છે?
ઉત્તર : ગુરુ33. મને ઓળખો : મને ભીમકાય ગ્રહ પણ કહે છે.
ઉત્તર : ગુરુ
34. તફાવત લખો : મંગળ અને ગુરુ
મંગળ | ગુરુ |
(1) મંગળ લાલ રંગનો ચમકતો ગ્રહ છે. | (1) આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. |
(2) મંગળ પર આછું વાતાવરણ છે. | (2) ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. |
(3) ત્યાં પૃર્થ્વી કર્તા વધુ ઠંડી અને ગરમી પડે છે. | (3) તે ખુબ ઠંડો હશે તેવું મનાય છે. |
(4) મંગળને બે ઉપગ્રહો છે. | (4) ગુરુને 79 ઉપગ્રહો છે. |
- શનિ કયા બે ગ્રહની વચ્ચે આવેલો છે?
ઉત્તર :શનિ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે.36. મને ઓળખો : મને પાઘડિયો ગ્રહ પણ કહે છે.
ઉત્તર : શનિ
37. કારણ આપો : ‘શનિને પાઘડિયો’ ગ્રહ કહે છે.
ઉત્તર : શનિ સૌરમંડળની કદમાં બીજા નંબરનો ગ્રહ છે. તેની આસપાસ નીલા રંગના તેજસ્વી વલયો આવેલા છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી ‘શનિ’ને પાઘડિયો ગ્રહ કહે છે.
38. શનિને કેટલા ઉપગ્રહો છે?
ઉત્તર : શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે.
39. યુરેનસની શોધ કોણે અને ક્યારે કરી હતી?
ઉત્તર : યુરેનસની શોધ વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ 1781 માં કરી હતી.
40. નેપ્ચુનના વાતાવરણમાં કયો ઝેરી વાયુ છે
ઉત્તર : મિથેન
(1) બુધ : બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તે પીળાશ પડતા રંગનો ગ્રહ છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે.
(2) શુક્ર : તે સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે. તેનું કદ અને વજન પૃથ્વી જેવું જ છે. આથી તેને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહે છે. તેને ઉપગ્રહ નથી. શુક્રની આસપાસના વાયુઓ અને વાદળોનાં ઘટ્ટ આવરણોને લીધે તેનો વધુ અભ્યાસ થઈ શક્યો નથી.
(3) મંગળ : મંગળ લાલ રંગનો ચમકતો ગ્રહ છે. મંગળ આછું વાતાવરણ ધરાવે છે. મંગળ પર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.
(4) ગુરુ : ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. તે સૌથી મોટો ગ્રહ છે. તેની આસપાસ વાયુઓનું આવરણ છે. ગુરુ ખૂબ જ ઠંડો હશે તેમ મનાય છે. ગુરુને 79 ઉપગ્રહો હોવાનો મત ઘણા વૈજ્ઞાનિકોનો છે. દૂરબીનથી જોતાં તેની સપાટી મનોહર લાગે છે.
(5) યુરેનસ : પૃથ્વીથી ખૂબ જ દૂર હોવાના કારણે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. આ ગ્રહની શોધ વિલિયમ હર્ષલે ઈ.સ. 1781માં કરી હતી. આ ખુબ જ ઠંડો ગ્રહ છે.
ઉત્તર : ઉલ્કા એટલે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો.44. મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું મનાય છે?
ઉત્તર : કોયના
45. કારણ આપો : રાત્રે આકાશમાં ખરતા તારા દેખાય છે.
ઉત્તર : કારણ કે અવકાશમાં પૃથ્વીની આસપાસ પથ્થરના ટુકડા કે ગ્રહોના નાના ભાગો રહેલા હોય છે. ક્યારેક આ ટુકડા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે. જે વાતાવરણમાં પ્રવેશતાં ઘર્ષણના લીધે સળગી ઊઠે છે. આથી આપણને આકાશમાં તેજલિસોટો દેખાય છે, જેને આપણે ખરતા તારા કહીએ છીએ.
46. નક્ષત્ર એટલે શું? નક્ષત્રોનાં નામ જણાવો.
ઉત્તર : કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આર્દ્ર, સ્વાતિ વગેરે જાણીતાં નક્ષત્રો છે.
47. નક્ષત્રો કુલ કેટલાં છે?
ઉત્તર : 27
48. પૃથ્વીના આકાર વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : પૃથ્વી નારંગી જેવી ગોળ છે. તે ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. આમ, ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્યભાગ મોટો છે.
49. પૃથ્વીના અભ્યાસ માટે વપરાતો પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની …………. છે.
ઉત્તર : પ્રતિકૃતિ
50. ……….. તારો હંમેશાં આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે.
ઉત્તર : ધ્રુવનો
51. મને ઓળખો : હું સપ્તર્ષિ તારકના ઝૂમખાની મદદથી સરળતાથી મળી શકું છું.
ઉત્તર : ધ્રુવનો તારો
ઉત્તર : ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે.
53. ધ્રુવના તારાનો ઉપયોગ કોણ અને કેમ કરે છે?
ઉત્તર : ધ્રુવના તારાનો ઉપયોગ રાત્રે દરિયાઈ મુસાફરી કરનારા લોકો કે રાત્રે રણમાં મુસાફરી કરનારા લોકો કરે છે. ધ્રુવનો તારો હંમેશાં ઉત્તર દિશામાં જ જોવા મળતો હોવાથી આ લોકો રાત્રે દિશા નક્કી કરવા ધ્રુવના તારાનો ઉપયોગ કરે છે.54. પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી …………….. રેખાઓ છે.
ઉત્તર : કાલ્પનિક
55. પૃથ્વી પરની આડી-ઊભી કલ્પિત રેખાઓ પરથી શું જાણી શકાય છે?
ઉત્તર : પૃથ્વી પરની આડી-ઊભી કલ્પિત રેખાઓ પરથી કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે.
56. પૃથ્વી પરની આડી-ઊભી રેખાઓ માત્ર ………… માં જોઈ શકાય છે
ઉત્તર : નકશા
57. કોઈ સ્થળનો અક્ષાંશ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
ઉત્તર : પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વી કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે.
58. બે અક્ષાંશવૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલું અંતર હોય છે?
ઉત્તર : 111 કિમી
59. અક્ષાંશવૃત્તોની કુલ સંખ્યા ………… છે.
ઉત્તર : 181
60. અક્ષવૃત્ત કોને કહે છે?
ઉત્તર : પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલાં સ્થળોને જોડનારા પૂર્વ-પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહે છે.
61. રેખાંશ કોને કહે છે?
ઉત્તર : પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહે છે.
62. રેખાંશ …………. પાસે એકબીજાને મળે છે.
ઉત્તર : ધ્રુવ
63. રેખાંશવૃત્ત કેટલાં છે?
ઉત્તર : રેખાંશવૃત્તોની સંખ્યા 360 છે.
64. રેખાવૃત્ત કોને કહે છે?
ઉત્તર : પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલાં સ્થળોને જોડનારી ઉત્તર-દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે.
65. અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત એટલે શું?
ઉત્તર : પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશવૃત્ત કહે છે, જ્યારે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશવૃત્ત કહે છે.
66. ………….. પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.
ઉત્તર : વિષુવવૃત્ત
67. 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?
ઉત્તર : વિષુવવૃત્ત
68. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એટલે શું?
ઉત્તર : વિષુવવૃત્ત પૃથ્વીના એકસરખા બે ભાગ કરે છે. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે.
69. નીચેના દેશો કયા ગોળાધમાં આવેલા છે?
(1) ભારત
(2) મૅક્સિકો
(3) જર્મની
(4) ઑસ્ટ્રેલિયા
70. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° અક્ષાંશવૃત્ત એટલે …………
ઉત્તર : કર્કવૃત્ત71. મને ઓળખો : હું વિષુવવૃત્તથી દક્ષિણે 23.5° અક્ષાંશવૃત્ત છું.
ઉત્તર : મકરવૃત્ત
72. વિષુવવૃત્તથી ઉત્તરે 66.5° ઉત્તર અક્ષાંશરેખાને ………………. કહે છે.
ઉત્તર : ઉત્તર ધ્રુવવૃત્ત
73. વિષુવવૃત્તથી દક્ષિણે …………… દક્ષિણ અક્ષાંશરેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે.
ઉત્તર : 66.5°
74. અયન એટલે શુ?
ઉત્તર : વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહે છે.
75. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનાં વૃત્તોને ……………. કહે છે.
ઉત્તર : અયનવૃત્તો
76. મને ઓળખો : હું 90° દક્ષિણ અક્ષાંશ છું.
ઉત્તર : દક્ષિણ ધ્રુવ
77. હાલની કઇ સિસ્ટમ દ્વારા કોઈ પણ સ્થળનાં અક્ષાંશ-રેખાંશ સરળતાથી જાણી શકાય છે?
ઉત્તર : GPS
78. ગ્રિનિચ શહેર ક્યા દેશમાં આવેલું છે?
ઉત્તર : ગ્રિનિચ શહેર ઇંગ્લેન્ડમાં આવેલું છે.
79. ગ્નિનિય રેખા થી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે.
ઉત્તર : ગ્નિનિય રેખા
80. પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એટલે શું?
ઉત્તર : પ્રિનિચ રેખાની પૂર્વ તરફનો 180° રેખાંશ સુધીનો ભાગ પૂર્વ ગોળાર્ધ અને ગ્રિનિચ રેખાની પશ્ચિમ તરફના 180° રેખાંશ સુધીના ભાગને પશ્ચિમ ગોળાર્ધ કહે છે.
- 180° રેખાંશવૃત્ત કયા નામે ઓળખાય?
ઉત્તર :180° રેખાંશવૃત્ત ‘આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા’ના નામે ઓળખાય છે.82. મને ઓળખો : મને ઓળંગતાં તારીખ બદલવી પડે.
ઉત્તર : આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા
- કારણ આપો : ‘આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા’ વાંકીચૂકી છે.
ઉત્તર :જો 180° રેખાંશવૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થાય જાય. કેટલીક જગ્યાએ એકજ ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાય જાય અને સમય-તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતી જમીનને સમુદ્રમાંથી પસાર કરવામાં આવે છે. તેથી તે વાંકીચુકી છે.84. 23.5° ઉ.અ. અને 66.5° ઉ.અ. વચ્ચે કર્યો કટિબંધ આવેલો છે?
ઉત્તર :સમશીતોષ્ણ85. ટૂંક નોંધ લખો : કટિબંધો
ઉત્તર : પૃથ્વીને તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે જુદા જુદા ત્રણ ભાગોમાં વહેંચવામાં આવી છે, જેને કટિબંધો કહે છે.
(1) ઉષ્ણ કટિબંધ – અતિશય ગરમીવાળો ભાગ. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે ઉષ્ણ કટિબંધ આવેલો છે.
(2) સમશીતોષ્ણ કટિબંધ – સપ્રમાણ ગરમી-ઠંડીવાળો ભાગ. 23.5° ઉ.અ. થી 66.5° ઉ.અ. અને 23.5° ૬.અ. થી 66.5° દ.અ. વચ્ચેનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે.
(3) શીત કટિબંધ – સખત ઠંડીવાળો ભાગ. 66.5° ઉ.એ. થી 90° ઉ.અ. અને 66.5° ૬.અ. થી 90° ૬.અ. વચ્ચેનો ભાગ શીત કટિબંધમાં આવે છે.86. 23.5° ઉ.અ. અને 23.5° ૬.અ. વચ્ચે ……………. કટિબંધ આવેલો છે.
ઉત્તર : ઉષ્ણ87. સમજાવો : પૃથ્વીનું પરિભ્રમણ
ઉત્તર : પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિને તેની દૈનિક ગતિ કહે છે. પૃથ્વીની દૈનિક ગતિને પરિભ્રમણ પણ કહે છે. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિમીની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આ ચક્ર પૂર્ણ કરતાં ચોવીસ કલાક થાય છે. પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે,88. પૃથ્વીની ગતિઓ કેટલી છે?
ઉત્તર : પૃથ્વીની બે ગતિઓ છે – પરિભ્રમણ અને પરિક્રમણ.
89. પૃથ્વીની પરિભ્રમણની ઝડપ વિષુવવૃત્ત પર કેટલી છે?
ઉત્તર : 1670 કિમી/કલાક90. પરિક્રમણ એટલે શું?
ઉત્તર : પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પૃથ્વીની આ ગતિને તેનું પરિક્રમણ કહે છે.91. પૃથ્વીને સૂર્યની ફરતે 1 પરિક્રમણ કરતાં ………….. દિવસ લાગે છે.
ઉત્તર : 36592. કક્ષા એટલે શું?
ઉત્તર : અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જેને કક્ષા કહે છે.93. પૃથ્વી સૂર્યની આસપાસ …………….. આકારની કક્ષામાં ફરે છે.
ઉત્તર : લંબગોળ94. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે?
ઉત્તર : 23.5°95. પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય?
ઉત્તર : પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો દિવસ-રાત ન થાય. પૃથ્વીના સૂર્ય તરફનાં ભાગમાં અજવાળું જ રહે અને વિરુદ્ધના ભાગમાં અંધારું જ રહે.96. પૃથ્વી પર દિવસ-રાત કેવી રીતે થાય છે?
ઉત્તર : પૃથ્વી ગોળ છે. તેથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે. બીજો અડધો ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે જેથી તેના જુદા જુદા ભાગ વારાફરતી સૂર્યની સામે આવે છે. જે ભાગ સૂર્યપ્રકાશમાં આવે ત્યાં દિવસ થાય અને જે તેની વિરુદ્ધ દિશામાં આવે ત્યાં રાત થાય છે. આમ, પૃથ્વી પર દિવસ-રાત થાય છે.97. 21મી જૂને …………………. પર સૂર્યનાં કિરણો બરાબર સીધાં પડે છે.
ઉત્તર : કર્કવૃત્ત98. 22મી ડિસેમ્બરે ભારતમાં દિવસ અને રાત્રિની લંબાઈની શું સ્થિતિ હશે?
ઉત્તર : 22મી ડિસેમ્બરે ભારતમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હશે.99. 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરની વિશેષતા શું છે?
ઉત્તર : 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે દિવસ અને રાતનો સમયગાળો સમાન રહે છે.100. દિલ્હીમાં સૂર્ય માથા પર નથી આવતો જ્યારે અમદાવાદમાં વર્ષમાં બે વાર આવે છે? કેમ?
ઉત્તર : દિલ્હી કર્કવૃત્તથી દૂર આવેલું છે જયારે અમદાવાદ કર્કવૃત્તથી નજીક આવેલું છે. આથી જ્યારે કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ત્યાં સૂર્ય માથા પર આવે છે અને આવું વર્ષમાં બે વાર થાય છે, તેથી અમદાવાદમાં વર્ષમાં બે વાર સૂર્ય માથા પર આવે છે.101. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં એક સમયે અલગ-અલગ ઋતુ અનુભવાય છે – સમજાવો.
ઉત્તર : પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે, તેથી પૃથ્વીના બંને ગોળાર્ધી વારફરતી સૂર્યની સામે આવે છે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યનાં કિરણો સીધાં પડે છે ત્યાં ગરમી વધુ મળે છે. આથી ત્યાં ઉનાળો હોય છે. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે છે. ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. આથી ત્યાં શિયાળો હોય છે. આમ, ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. આમ, એક જ સમયે પૃથ્વીના બંને ગોળાર્ધમાં અલગ અલગ ઋતુ અનુભવાય છે.102. ભારતમાં ઉનાળો હોય ત્યારે નીચેના દેશમાં કઈ ઋતુ હશે તે લખો :
(1) અમેરિકા
ઉત્તર : ઉનાળો
(2) ઑસ્ટ્રેલિયા
ઉત્તર : શિયાળો
(3) શ્રીલંકા
ઉત્તર : ઉનાળો
(4) ઇંગ્લેન્ડ
ઉત્તર : શિયાળો
(5) ભૂટાન
ઉત્તર : ઉનાળો
(6) બ્રાઝિલ
ઉત્તર : ઉનાળો
103. ઉત્તરાયણ એટલે શું?
ઉત્તર : 22મી ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો ઉત્તર તરફ એટલે વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે. જેને ‘ઉત્તરાયણ’ કહે છે. આમ, ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે થાય છે.
104. 14મી જાન્યુઆરીને મકરસંક્રાંતિ શા માટે કહેવાય છે?
ઉત્તર : 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે 14મી જાન્યુઆરીને ‘મકરસંક્રાંતિ’ કહેવાય છે.
105. દક્ષિણાયન કઈ તારીખથી થાય છે?
ઉત્તર : 22મી જૂન
106. ટૂંક નોંધ લખો : સંપાત
ઉત્તર : સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદનબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતાં જતાં ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં ‘21મી જૂન’ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતાં દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. વર્ષ દરમિયાન ‘21મી માર્ચ’ અને ‘23મી સપ્ટેમ્બરે’ સૂર્યનાં કિરણો વિષુવવૃત્ત પર સીધાં પડતાં હોવાથી રાત-દિવસ સરખા થાય છે જે ‘વિષુવદિન’ તરીકે ઓળખાય છે.
107. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે?
ઉત્તર : બે
108. વિષુવદિન કઈ કઈ તારીખે આવે છે?
ઉત્તર : વિષુવદિન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે આવે છે.
109. દક્ષિણ ગોળાર્ધમાં ……………. થી દિવસની લંબાઈ વધતી જાય છે.
ઉત્તર : 24 સપ્ટેમ્બર
110. દક્ષિણ ગોળાર્ધમાં ………………. વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે.
ઉત્તર : 22 ડિસેમ્બર
111. ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે – વિધાન સમજાવો.
ઉત્તર : પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક, પરંતુ આ 6 કલાકની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી આપણે 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ. બાકી બચેલા છ કલાક દર ચાર વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસ વધારીને 28 ને બદલે 29 દિવસ કરવામાં આવે છે, જેને લીપ વર્ષ કહે છે. આમ, ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે.
112. ગ્રહણ કોને કહે છે?
ઉત્તર : ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય ક્યારેક સીધી રેખામાં આવે છે. ત્યારે સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય અથવા પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે આખેઆખો ચંદ્ર ન દેખાય તેવી ઘટનાને ગ્રહણ કહે છે.
113. કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’ જોવા મળે છે?
ઉત્તર : ચંદ્ર
114. સૂર્યગ્રહણ ………… થાય છે.
ઉત્તર : અમાસે
115. આકૃતિ સહ ટૂંક નોંધ લખો : સૂર્યગ્રહણ
ઉત્તર : ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. વળી, તે પૃથ્વીની ખૂબ નજીક છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. આ વખતે ચંદ્રના અવરોધથી ચંદ્રના ભાગ જેટલો સૂર્ય દેખાતો નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ચંદ્ર સૂર્ય કરતાં કદમાં નાનો હોવાથી સૂર્ય સંપૂર્ણ ઢંકાતો નથી. તેથી આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી.
116. ટૂંક નોંધ લખો : ચંદ્રગ્રહણ
ઉત્તર : ચંદ્ર પરપ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યનાં કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. બીજા શબ્દોમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. અને ચંદ્રનો તેટલો ભાગ આપણને દેખાતો નથી. જેને ચંદ્રગ્રહણ કહે છે. ચંદ્રગ્રહણ પૂનમની રાત્રિએ જ થાય છે.
117. ચંદ્રગ્રહણ ……………. ની રાતે થાય છે.
ઉત્તર : પૂનમની
118. જોડકા જોડો :
(1)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) નક્ષત્રો | (A) 23.5 ઉ.અ |
(2) રેખાંશવૃતો | (B) 23.5 દ.અ |
(3) કર્કવૃત્ત | (C) 360 |
(4) મકરવૃત | (D) ૦ રેખાંશવૃત |
(5) ગ્રિનિચ રેખા | (E) 27 |
જવાબ |
(1) – (C) |
(2) – (A) |
(3) – (E) |
(4) – (B) |
(5) – (A) |
(2)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) સૂર્ય | (A) સુંદર ગ્રહ |
(2) શનિ | (B) વિલિયમ હર્ષલ |
(3) મંગળ | (C) તારો |
(4) યુરેનસ | (D) મિથેન |
(5) નેપ્ચુન | (E) જીવસૃષ્ટિ સંભાવના |
જવાબ |
(1) – (E) |
(2) – (C) |
(3) – (A) |
(4) – (B) |
(5) – (D) |