ધોરણ ૬ વિજ્ઞાન અને ટેક્નોલોજી પાઠ : ૮ શરીરનું હલનચલન
1. પ્રાણીઓમાં પોતાના શરીર દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કઈ કઈ રીતો છે ?
ઉત્તરઃ પ્રાણીઓમાં પોતાના શરીર દ્વારા સ્થાનાંતર કરવા માટેની રીતોમાં ચાલવું, સરકવું, દોડવું,છલાંગ મારવી, તરવું, ઉડવું વગેરે રીતોનો સમાવેશ થાય છે.
ઉત્તર:- ×
3. મનુષ્ય પગ દ્વારા દોડે છે. ( √ કે ×)
ઉત્તર:- √
ઉત્તર : પક્ષીઓ સામાન્ય રીતે ઊડીને અને માછલીઓ તરીને સ્થાનાંતર કરે છે. પક્ષીઓ ચાલી કે કૂદી પણ શકે છે.
5.____એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતાં.
(A) જંતુ
(B) માછલી
(C) વૃક્ષો √
(D) સરીસૃપ
6. વનસ્પતિ કયા પ્રકારના હલનચલનને પ્રદર્શિત કરે છે ?
ઉત્તર : વનસ્પતિ પ્રચલન કરતી નથી. પરંતુ વનસ્પતિનાં અંગો હલનચલન દર્શાવે છે. મૂળ પાણી તરફ, પ્રકાંડ સૂર્યપ્રકાશ તરફ વૃદ્ધિ પામે છે. પર્ણો અને શાખાઓ પવન સાથે હલનચલન દર્શાવે છે. પ્રકાંડસૂત્રો આધાર તરફ જાય છે.
(A) માછલી – તરીને
(B) સાપ – સરકીને
(C) પક્ષી – ઊડીને
(D) ગાય – સરકીને √
8. તમારી ગરદનને તમે સંપૂર્ણ ગોળ ફેરવી શકો છો. (√ કે ×)
ઉત્તર:- ×
9. નીચેનામાંથી સાચી જોડ જણાવો :
(A) કાંડું – સંપૂર્ણ કરે
(B) ઘૂંટણ – સંપૂર્ણ ફરે
(C) ભુજા – સંપૂર્ણ ફરે √
(D) આંગળીઓ- સંપૂર્ણ ફરે
10.નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ જણાવો :
(I) કાંડું નમે છે અને અંશતઃ ફરે છે.
(II) હથેળી સંપૂર્ણ ફરે છે.
(|||) પીઠ નમે છે.
(A) વિધાન I, II સાચા છે.
(B) વિધાન I, III સાચી છે. √
(C) વિધાન II, III સાચાં છે.
(D) ત્રેય વિધાન સાચાં છે.
ઉત્તર :- ×
12. સાંધા એટલે શું ? તે સમજાવી તેના પ્રકાર જણાવો.
ઉત્તર:- શરીરના વિવિધ ભાગોને જે સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ તેમજ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેવા ભાગોને સાંધા કહે છે.
13. આપણા શરીરમાં જો સાંધા ના હોત તો ?
ઉત્તર : શરીરમાં જો સાંધા ન હોય તો આપણે કોઈ પણ પ્રકારનું હલનચલન કે પ્રચલન કરી શકીએ નહીં.
14.આંગળીઓનાં હાડકાંમાં સાંધા હોતા નથી. (√ કે X)
ઉત્તર:- ×
ઉત્તર : આ પ્રકારનાં સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ, બીજા હાડકાનાં વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે. આ પ્રકારના સાંધા શરીરના ભાગોને બધી જ દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે.
ઉદાહરણ : (1) હાથના હાડકાંનો દડા જેવો ગોળ ભાગ, ખભાના હાડકાનાં વાટકી જેવા ભાગમાં ખૂંપેલો છે. (2) પગના હાડકાંનો ગોળ ભાગ, કેડના હાડકાનાં વાટકી જેવા ભાગમાં ખૂંપેલો છે. જેથી આપણે હાથને અને પગને સાંધા પાસેથી બધી જ દિશાઓમાં ફેરવી શકીએ છીએ.
16. ખભાનાં હાડકાં__સાંધા વડે જોડાયેલા હોય છે.
(A) ખલ
(B) ખેલ-દસ્તા √
(C) ઊખળી
(D) એક પણ નહીં
(A) ઊખળી √
(B) ખલ-દસ્તા
(C) મિજાગરા
(D) એક પણ નહીં
ઉત્તર : ગરદન તથા શીર્ષ ઊખળી સાંધા વડે જોડાયેલાં હોવાથી શીર્ષને આગળ-પાછળ, ઉપર-નીચે તથા ડાબી-જમણી બાજુ ફેરવી શકીએ છીએ.
19. ઘૂંટણના હાડકાં__સાંધા વડે જોડાયેલા હોય છે.
(A) મિજાગરા √
(B) ખલ-દસ્તા
(C) ઊખળા
(D) આપેલ તમામ
ઉત્તર : કોણીમાં મિજાગરા પ્રકારનો સાંધો છે, જેનાથી એક જ દિશામાં હલનચલન થાય છે.
21. કોણીનાં હાડકાં___ સાંધા વડે જોડાયેલ હોય છે.
ઉત્તર:- મિજાગરા
ઉત્તર : કોણી પાસે મિજાગરા પ્રકારનો સાંધો છે, તેથી તે માત્ર એક જ દિશામાં વળે છે, પાછળ તરફ વળતી નથી. એટલે કે કોણીથી હથેળી વાળા ભાગને ખભા તરફ એક જ બાજુથી લઈ જઈ શકાય છે.
23.અચલ સાંધા એટલે શું ?
ઉત્તર : કેટલાંક સાંધાઓમાં અસ્થિઓ કોઈ પણ પ્રકારનું હલનચલન દર્શાવતાં નથી, આવા સાંધાઓને અચલ સાંધા કહે છે.
ઉત્તર : આપણાં શરીરમાં ઉપરી જડબું અને ખોપરીના અસ્થિ પાસે અચલ સાંધા આવેલાં છે.
ઉત્તર:- પ્રચલન અને હલનચલનમાં
26. વ્યાખ્યા આપો : કંકાલ
ઉત્તર:- શરીરનાં બધાં જ હાડકાં આકાર અને આધાર આપવા માટે જે માળખું તૈયાર કરે છે તેને કંકાલ કહે છે.
27. ઍક્સ-રેનો ઉપયોગ જણાવો.
ઉત્તર : એક્સ-રે માત્ર ઘડકાંમાંથી જ પસાર થતાં નથી. આથી, એક્સ-રેનો ઉપયોગ કંકાલની રચના જાણવા તથા કોઈ હાડકાંમાં પડેલી તડ અથવા ઈજા જાણવા માટે થાય છે. જેથી તેનો ઈલાજ કરી શકાય.
28. આપણું કાંડું લચીલું હોય છે, કારણ કે …
ઉત્તર : આપણાં હાથનું કાંડું, ઘણાં બધાં નાના નાનાં અસ્થિઓનું બનેલું છે અને હાથ સાથે અંશતઃ ઉપર-નીચે અને હલનચલન કરી શકે તેવી રીતે જોડાયેલું છે માટે લચીલું હોય છે.
ઉત્તર : આપણે કોણી, કાંડું, આંગળીઓ, પીઠ (કેડ), ઘૂંટણ, ગરદન, પગની એડી અને આંગળા જેવા ભાગો વાળી કે હલાવી શકીએ છીએ.
30. પાંસળીઓનો આકાર એકદમ સીધી હોય છે. (√ કે ×)
ઉત્તર:- ×
ઉત્તર : આપણી પાંસળીઓના અસ્થિઓ, છાતીનું હાડકું અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક શંકુરૂપી પાંજરું તૈયાર કરે છે. જેને પાંસળી પીંજર કહે છે.
32. પાંસળી-પીજરનો ઉપયોગ જણાવો.
ઉત્તર : પાંસળી-પીંજર, શરીરના મહત્વના અંગો જેવા કે હૃદય, ફેફ્સાં અને મહાધમની જેવી રુધિરવાહિનીઓને સુરક્ષિત બનાવે છે.
33. આપણે ઘૂંટણને વાળ્યા વગર પગની આંગળીઓનો સ્પર્શ કોની મદદથી કરી શકીશું ?
ઉત્તર : ઘૂંટણને વાળ્યા વગર પગની આંગળીઓને સ્પર્શ કરવા માટે મેરુદંડની મદદ મળે છે.
ઉત્તર : કરોડસ્તંભ અનેક નાના-નાના વીંટી જેવી રચના ધરાવતા હાડકાંઓનું બનેલ છે. જેને કશેરૂકા કહે છે. કરોડસ્તંભ શીર્ષ-પ્રદેશથી શરૂ કરી ધડ પ્રદેશ સુધી લંબાયેલ હોય છે. પાંસળી-પિંજર કરોડસ્તંભના અસ્થિઓ સાથે પીઠના ભાગ તરફ જોડાયેલ છે. કરોડસ્તંભમાં કુલ 33 હાડકાં હોય છે.
(A) ઘૂંટણ
(B) કોણી
(C) પાંસળી-પીંજર √
(D) આંગળીઓ
36.વ્યાખ્યા આપો : સ્કંધાસ્થિ
ઉત્તર : આપણે જ્યારે બે હાથ વડે દિવાલને ધક્કો મારીએ ત્યારે ખભા આગળ બે ઉપસેલાં ચપટાં, ત્રિકોણાકાર, અસ્થિ જોવા મળે છે જે સ્કંધાસ્થિ છે.
ઉત્તર:- ×
ઉત્તર:- કંકાલતંત્ર
ઉત્તર:- ×
40. નિતંબાસ્થિ એટલે શું ?
ઉત્તર : જઠરથી નીચે આવેલા અંગોને રક્ષણ આપતાં, પેટી જેવી સંરચના બનાવતાં, નિતંબના ભાગે આવેલાં બે મોટાં, ત્રિકોણાકાર અસ્થિને નિતંબાસ્થિ અથવા શ્રોણી-અસ્થિ કરે છે.
41. નિતંબાસ્થિને ___પણ કહે છે.
ઉત્તર:- શ્રોણી અસ્થિ
42. નિતંબાસ્થિનો ઉપયોગ જણાવો.
ઉત્તર : નિતંબાસ્થિ શરીરમાં જઠરથી નીચે આવેલાં પ્રજનનતંત્ર, ઉત્સર્જનતંત્ર અને પાચનતંત્રના અંગોને આધાર અને રક્ષણ આપે છે આ ઉપરાંત આપણે બેસીએ ત્યારે મદદ કરે છે.
(A) સ્નાયુઓ
(B) હાડકાં √
(C) કૂર્ચાઓ
(D) આપેલ તમામ
44. માનવ ખોપરી કોનું રક્ષણ કરે છે ?
ઉત્તર : માનવ ખોપરી માનવશરીરના સૌથી અગત્યના અંગ મગજનું આંચકા અને ઈજાથી રક્ષણ કરે છે.
ઉત્તર :- ખોપરીમાં આવેલું માત્ર નીચલું જડબું જ હલનચલન કરતું અસ્થિ છે.
-
વ્યાખ્યા આપો : કોમલાસ્થિ
ઉત્તર:-આપણા શરીરમાં કંકાલ સિવાય આવેલ કેટલાંક અંગો જે હાડકાં જેટલાં કઠણ નથી અને જેને આપણે વાળી શકીએ છીએ તેને કોમલાસ્થિ કહે છે.47. કાનના ઉપરના ભાગમાં__હોય છે.
(A) મિજાગરા
(B) પાંસળી-પીંજર
(C) હાડકાં
(D)કાસ્થિ √ - માનવ કંકાલ અનેક__તથા___ ભેગાં મળીને બને છે.
ઉત્તર:- અસ્મિો, કાસ્થિઓ ,સાંધાઓ - વ્યાખ્યા આપો : સ્નાયુ
ઉત્તર :હાથ-પગને જરા હળવેથી દબાવવાથી ચામડી અને હાડકાં વચ્ચે પેશી હોવાનો અનુભવ થાય છે, જે સ્નાયુઓ છે.50.__ થવાને કારણે સ્નાયુઓ ઊપસી આવે છે.
(A) ખેંચાણ
(B) દબાણ
(C) સંકોચન √
(D) આપેલ તમામ - સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ કેવા થઈ જાય છે?
ઉત્તર : સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુઓ લંબાઈમા ટૂંકા, કઠણ અને જાડાં બની ઉપસી આવે છે.52. અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે સ્નાયુઓનો ફાળો જણાવો.
ઉત્તર :કોઈ પણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓને સંયુક્ત કાર્ય કરવું પડે છે.એક સંકોચાય છે જ્યારે બીજું શિથિલન પામે છે.
53. ગતિ કરતી વખતે ___ ના સંકોચનથી હાડકાં ખેંચાય છે.
ઉત્તર:- સ્નાયુઓ54.કાચની પટ્ટી, ટાઇલ્સ અને જમીન પર અસિયાંને મૂકો. કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે ?
ઉત્તર :અળસિયું જમીનને જકડીને સ્નાયુના શિથિલન સંકોચનથી ચાલે છે, માટે જમીન પર સરળતાથી ચાલી શકે છે.55. બધાં પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે. (√ કે ×)
ઉત્તર:- ×56. અળસિયાનું શરીર શાનું બનેલું છે ?
ઉત્તર : અળસિયાના શરીરની રચનામાં અનેક સમાન વલયો એકબીજાં સાથે જોડાયેલાં હોય છે. - અળસિયાના શરીરમાં બહુ જ હાડકાં હોય છે. (√ કે X)
ઉત્તર:- ×58. અળસિયાના શરીરમાં સ્નાયુઓ શું કાર્ય કરે છે ?
ઉત્તર:- અળસિયાનાં શરીરમાં સ્નાયુઓ શરીરને વધવામાં અને ઘટવામાં મદદ કરે છે. તેના દ્વારા તે પ્રચલન કરે છે. - સમજાવો : અળસિયામાં હલનચલન
ઉત્તર:- અળસિયાનું શરીર સમાન વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. તેને હાડકાં હોતા નથી.
આ સ્નાયુઓ તેના શરીરને વધવામાં અને ઘટવામાં મદદ કરે છે. ચાલતા સમયે તે તેના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે. તેના પછી તે શરીરના અગ્ર ભાગને જમીન સાથે જકડીને રાખે છે તથા પશ્વ ભાગ ખુલ્લો કરી દે છે. હવે શરીરને સંકુચિત કરી પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે. આનાથી તે કેટલુંક અંતર ખસે છે. આ ક્રિયાનું પુનરાવર્તન કરી અળસિયું માટીમાં આગળ વધે છે. તેના શરીરમાં રહેલાં ચીકણાં પદાર્થ તેને ચાલવા માટે મદદરૂપ થાય છે.60. અળસિયા પોતાના શરીરને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે ?
ઉત્તર : અળસિયાના શરીર પર અનેક નાના નાના વાળ જેવી રચના આવેલ હોય છે, જેને વજ્રકેશ કહે છે. આ વજ્રકેશ સ્નાયુ સાથે જોડાયેલ હોય છે. વજ્રકેશ અળસિયાના શરીરની માર્ટીમાં પકડ મજબૂત બનાવે છે.
61. અળસિયાં માટીને કેવી રીતે ફળદ્રુપ બનાવે છે ? તેનાથી કોને ફાયદો થાય છે ?
ઉત્તર :અળસિયું માટીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોને ખાય છે. તેના પાચન પછી તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે. આ ઉત્સર્ગદ્રવ્ય ફળદ્રુપ બનાવે છે. આ પ્રકારની ફળદ્રુપ જમીન વનસ્પતિને ઘણા પોષકદ્રવ્યો પૂરા પાડે છે.62. ગોકળગાયની પીઠ ઉપરની ગોળ રચનાને શું કહે છે ?
(A) ગોળી
(B) કવચ √
(C) ખોખું
(D) એક પણ નહીં63. કવચ ગોકળગાયનું___છે.
(A) બાહ્ય કકાલ √
(B) અંતઃકંકાલ
(C) સાંધા
(D) એક પણ નહીં64. ગોકળગાયની બહાર આવેલું કવચ હાડકાંનું બનેલું છે. (√ કે X)
ઉત્તર:- ×65. ગોકળગાય ઉપર કેટલા કવચ હોય છે ?
(A) ત્રણ
(B) અડધું
(C) બે
(D) એક √ - ગોકળગાયનું કવચ તેને ચાલવામાં બહુ જ મદદ કરે છે. (√ કે X)
ઉત્તર:- ×67. વંદામાં કેટલા જોડ પગ હોય છે ?
(A) ચાર
(B) ત્રણ √
(C) એક
(D)પાંચ68. વંદાનું શરીર શાનાથી ઢંકાયેલું હોય છે.
ઉત્તર:- વંદાનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે જે વિવિધ એકમોના પરસ્પર સાંધાઓ દ્વારા બને છે.69. વંદાનું બાહ્ય કંકાલ શાનું બનેલું હોય છે ? તેનાથી શું ફાયદો થાય છે ?
ઉત્તર :-વંદાનું કઠણ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું હોય છે. જેના કારણે ગતિ શક્ય બને છે.70. વંદાની પીઠ પર કેટલી પાંખો હોય છે ?
(A)બે
(B) ત્રણ
(C) ચાર √
(D) એક - વંદો વિશિષ્ટ સ્નાયુઓ દ્વારા કર્યું કાર્ય કરી શકે છે ?
ઉત્તર : વંદામાં ચલનપાદ નજીક આવેલા સ્નાયુઓ તેને ચાલવામાં સહાય કરે છે. જ્યારે પૃષ્ઠ સ્નાયુઓ વંદો ઊડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે.72. વંદામાં હલનચલન સમજાવો.
ઉત્તર : – વંદાનું બાહ્ય કઠણ કવચ (કંકાલ) વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું છે જેના કારણે ગતિ શક્ય બને છે. વંદામાં પીઠના ભાગે બે જોડ પાંખ પૃષ્ઠ સ્નાયુઓ સાથે જોડાયેલ હોય છે. જે વંદાની પાંખોને ગતિ આપે છે. આ ઉપરાંત ચલનપાદની નજીક વિશિષ્ટ સ્નાયુઓ આવેલા છે તે તેને ચાલવામાં સહાય કરે છે. આમ, વંદો છ પગ વડે ચાલી શકે છે અને બે જોડ પાંખ તથા વિશિષ્ટ સ્નાયુઓ વડે ઊડી પણ શકે છે.73. પક્ષીઓ હવામાં ચાલે છે, તથા ભૂમિ પર ઊડે છે. (√ કે ×)
ઉત્તર:-×74.એવાં બે પક્ષીઓનાં નામ આપો જે પાણીમાં તરે છે.
ઉત્તર : પાણીમાં તરતાં પક્ષીઓ : બતક, હંસ75. પક્ષીઓ કેમ ઊડી શકે છે ? સમજાવો.
ઉત્તર : નીચેના અનુકૂલનોના કારણે પક્ષીઓ હવામાં ઊડી શકે છે.
– છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે સ્નાયુઓને જકડી રાખવા માટે વિશિષ્ટરૂપે રૂપાંતરિત છે, જે પાંખોને ઉપર-નીચે કરવામાં સહાય કરે છે.
– શરીર આગળથી અને પાછળથી સાંકડું તથા વચ્ચેથી પહોળું હોય છે.
– અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ પાંખમાં રૂપાંતર થાય છે.
-પશ્વ ઉપાંગોના હાડકાં ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત છે.
-તેમના હાડકાં છિદ્રિષ્ટ અને હલકાં હોય છે. તેમજ ખભાનાં હાડકાં મજબૂત હોય છે.
76.હોડીના આકાર લગભગ___ના આકાર જેવો છે.
(A) પક્ષી
(B) પ્રાણીઓ
(C) માછલી √
(D) એક પણ નહીં
77. માછલીનો આકાર ધારારેખીય હોય છે – સમજાવો.
ઉત્તર : માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્યભાગ કરતાં પાતળુ અને અણીદાર હોય છે. આ પ્રકારની નવતલ રચના ધારારેખીય કહેવાય છે.
- માછલીના મીનપક્ષનું કાર્ય જણાવો.
ઉત્તર : માછલીમાં પૂંછડીના મીનપક્ષો તરવામાં મદદ કરે છે. જ્યારે અન્ય મીનપક્ષો તરતી વખતે પાણીમાં સંતુલન જળવવા અને પાણીના તરંગની ગતિના આધારે માછલીની તરવાની દિશા નક્કી કરવાનું કાર્ય કરે છે. - મરજીવા તેમના પગમાં શું પહેરે છે ? તેનાથી શું થાય છે ?
ઉત્તર : મરવા તેમના પગમાં માછલીના મીનપક્ષ જેવા ફ્લિપર્સ પહેરે છે. જે તરવામા અને ગતિની દિશા માટે મદદ કરે છે.80. સાપનો કરોડસ્તંભ ટૂંકો હોય છે. (√ કે X)
ઉત્તર:- ×81. સાપના શરીરમાં સ્નાયુઓનું કાર્ય જણાવો.
ઉત્તર :સાપના શરીરમાં પાતળાં અનેક સ્નાયુઓ આવેલા છે, જે પરસ્પર જોડાયેલાં હોય છે. સાપનું શરીર અનેક વલયમાં વળેલ હોય છે. જેના કારણે સાપ અત્યંત ઝડપી ગતિ કરી શકે છે. આ સ્નાયુઓ કરોડસ્તંભ, પાંસળીઓ અને ત્વચાને પણ પરસ્પર જોડે છે. સ્નાયુઓનું સંકોચન અને વિકોચન શિકારને આગળ ધકેલવામાં મદદ કરે છે. - સાપ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જઈ શકે છે ?
ઉત્તર:-સાપના શરીરમાં આવેલા અનેક પાતળા સ્નાયુ પરસ્પર જોડાયેલા છે, જેના કારણે, સાપનું શરીર અનેક વલય (લૂપ)માં વળેલું છે. સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. પ્રત્યેક વલય આગળ તરફ ધક્કો મારે છે. આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરે છે, પણ સાવ સીધી રેખામાં આગળ વધી શકતો નથી.83.સાપ સીધી રેખામાં આગળ વધે છે. (√ કે X)
ઉત્તર:-×
84.કૉલમ-I માં રહેલા શબ્દોને કોલમ-II માં રહેલા વિધાન સાથે જોડો:
વિભાગ-અ | વિભાગ બ |
(1) ઉપલું જડબું | (A) શરીર પર પાંખો હોય |
(2)માછલી | (B) બાહ્યકંકાલ હોય છે. |
(3)પાંસળીઓ | (C) એક અચલ સાધો છે. |
(4)ગોકળગાય | (D) હૃદયનું રક્ષણ કરે છે. |
(5) વંદો | (E) તેનું શરીર ધારારેખીય હોય છે. |
જવાબ |
(1)→C |
(2)→E |
(3)→D |
(4)→B |
(5)→A |
- સ્નાયુઓ જોડીમાં કાર્ય કરે છે – સમજાવો.
ઉત્તર :કોઈ પણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓ સંયુક્ત રીતે કાર્ય કરે છે. – – – – જ્યારે એક સ્નાયુ સંકોચાય ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે, આ વખતે જોડીમાં આવેલ બીજે સ્નાયુ શિથિલન પામે છે.
– અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે પહેલો સ્નાયુ શિથિલ બને છે જ્યારે બીજો સ્નાયુ સંકોચન પામે છે.
– સ્નાયુ માત્ર ખેંચી શકે છે, ધક્કો મારી શકતાં નથી. આમ, સ્નાયુઓના સંયુક્ત કાર્યથી હલન-ચલન થઈ શકે.86. ગોકળગાયની ચાલવાની ક્રિયાનું વર્ણન કરો. અથવા ગોકળગાયને કાચની પ્લેટ પર મૂકીને તેની ચાલવાની ગતિનું નિરીક્ષણ કરી વર્ણન કરો.
ઉત્તર :ગોકળગાય તેના પ્રચલન દરમ્યાન શીર્ષને કવચમાંથી બહાર કાઢે છે. શીર્ષની સાથે જોડાયેલ મૃદુપગ પણ બહાર આવે છે, આ મૃગ સ્નાયુઓના બનેલાં છે. આના દ્વારા શરીરને ઉપર-નીચે તરંગગતિ દ્વારા તે પ્રચલીત કરે છે. અળસિયાની સરખામણીમાં ગોકળગાયની ગતિ ધીમી હોય છે. - માછલી પાણીમાં કેવી રીતે તરી શકે છે અને દિશા બદલી શકે છે ? સમજાવો.
ઉત્તર : માછલીના હાડકાં ર્દઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે. તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્ર ભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે. જયારે તે શરીરને વાળ ત્યારે તીવ્રતાથી પૂંછડી બીજી દિશામાં વળી જાય છે તેનાથી ધક્કો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે. આવા ક્રમિક પ્રક્રિયા દ્વારા માછલી પાણીમ આગળ વધે છે. પૂંછડીના મીનપક્ષ પાણીની તરંગગતિ ઓળખે છે. માછલીના બીજા મીનપક્ષો તરતી વખતે પાણીમાં સમતુલન બનાવી રાખે છે અને ગતિની દિશા નક્કી કરવામાં મદદ કરે છે. - હોડી અને માછલીના આકારમાં સામ્યતા જણાવો.
ઉત્તર:- બંનેનો આકાર અગ્ર-પશ્વ ભાગેથી અણીદાર અને વચ્ચેથી પહોળો હોય છે. બંનેના આકાર ધારારેખીય હોય છે, માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના શરીરના મધ્યભાગ કરતાં પાતળા અને અણીદાર છે. હોડીમાં પણ આગળનો ભાગ અને પાછળનો ભાગ મધ્યભાગ કરતાં પાતળો અને અણીદાર છે.