૧. _____ ના જન્મથી કિરણના પરિવારમાં ખુશીનો માહોલ હતો.
૨. કિરણના કુટુંબમાં પહેલાં કેટલા સભ્યો હતા ? કયા કયા ?
ઉત્તર : કિરણના કુટુંબમાં પહેલાં પાંચ સભ્યો હતા. દાદા-દાદી, મમ્મી-પપ્પા અને કિરણ.
૩. કિરણના કુટુંબમાં નાની બેબીના જન્મ બાદ કેટલા સભ્યો થયા ?
(A) ૪
ઉત્તર : C
૪. કિરણ તેની બેનના જન્મ બાદ તેનો દિવસ કેવી રીતે વિતાવશે ?
ઉત્તર : કિરણ તેની બેનના જન્મ બાદ તેના દિવસનો મોટા ભાગનો સમય નાની બહેનને રમાડવામાં વિતાવશે. થોડો સમય ભણવામાં તથા શાળાએ જવામાં પણ વિતાવશે.
૫. નાની બેબીના જન્મ બાદ કિરણની મમ્મીને કયાં કયાં કામ વધશે ?
ઉત્તર : નાની બેબીના જન્મ બાદ કિરણની મમ્મીને ઘરનાં અન્ય કામો સાથે નાની બેબીનું ધ્યાન રાખવું, તેના માટે જરૂરી ચીજવસ્તુઓની સફાઈ કરવી, તેને ખવડાવવું, સુવડાવવી વગેરે કામ વધશે.
૬. ઘરમાં નાનું બાળક હોય તો ઘરમાં કેવા ફેરફાર જોવા મળશે ?
ઉત્તર : ધરમાં નાનું બાળક હોય તો ઘરના દરેક સભ્યનું ધ્યાન તેની દેખરેખ રાખવામાં, તેને રમાડવામાં તથા તેની સુવિધાઓ સાચવવામાં જ હોય છે.
૭. બાળકને જન્મથી જ દાંત હોય છે. (√ કે ×)
ઉત્તર : √
૮. ધરમાં નાના બાળકની દેખરેખ રાખવાની જવાબદારી માત્ર બાળકનાં માતાની જ હોય છે. ( √ કે ×)
ઉત્તર : ×
૧૦. સુમીના પિતાજી ___ નોકરી કરે છે.
ઉત્તર : સરકારી
૧૧. સુમીના પિતાજીને બઢતી મળવાની સાથે તેમની બદલી પણ થઈ. ( √ કે ×)
ઉત્તર : √
ઉત્તર : ×
૧૪. સુમીના કુટુંબે નવા શહેરમાં રહેવા જવા માટે કઈ કઈ તૈયારીઓ કરવી પડશે ?
ઉત્તર : નવું ઘર ખરીદવું કે ભાડે લેવું પડશે. ત્યાં રહેવા માટે જરૂરી સામાન જૂના ઘરેથી લઈ જવો પડશે . અથવા નવો ખરીદવો પડશે . સુમીને નવી શાળામાં પ્રવેશ લેવો પડશે….વગેરે ઘણી બધી તૈયારીઓ કરવી પડશે.
૧૫. સુમીના પિતાજી સાથે કોણ કોણ નવા શહેરમાં જશે?
ઉત્તર : સુમીના પિતાજી સાથે સુમીનાં માતા અને સુમી નવા શહેરમાં જશે.
૧૬. સુમીનાં દાદા-દાદી કેમ બીજા શહેરમાં રહેવા નહિ ગયાં હોય ? વિચારીને લખો.
ઉત્તર : કદાચ સુમીનાં દાદા-દાદી અત્યારે જ્યાં રહે છે ત્યાં વર્ષોથી રહેતાં હોવાથી તેમણે નવા શહેરમાં રહેવા જવાનું ટાળ્યું હોય અથવા તેઓ અર્ધી કોઈક આર્થિક પ્રવૃત્તિ કરતાં હોય અથવા સુમીના કાકા પણ તેમની જોડે જ રહેતા હોય.
૧૭. સુમીને હવે નવા મિત્રો બનાવવા પડશે. (√ કે ×)
ઉત્તર : √
૧૮. તમારા વર્ગમાં છેલ્લે કોણે પ્રવેશ લીધો ? કેમ ?
ઉત્તર : (નમૂનારૂપ ઉત્તર) મારા વર્ગમાં રોહન નામના એક બાળકે પ્રવેશ લીધો, કારણ કે તેના પપ્પાની બદલી થવાથી તેઓ અમારા શહેરમાં નવા રહેવા આવ્યાં છે.
૧૯. દિપાલીના ઘરે સૌ શા માટે ખુશ છે ?
ઉત્તર : દિપાલીના કાકાના દીકરાનાં લગન હેવાથી સૌ ખુશ છે.
૨૦. લગ્નમાં કયા કયા પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે?
ઉત્તર : લગ્નમાં મહેંદી, ગણેશપૂજા, વરઘોડો, હસ્તમેળાપ, મંગળફેરા, કન્યાવિદાય જેવા પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે.
૨૧. દિપાલીના કાકાના દીકરાનાં લગ્ન થવાથી તેના ઘરમાં શું ફેરફાર થશે ?
ઉત્તર : દિપાલીના કાકાના દીકરાનાં લગ્ન થતાં તેમના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થશે. દિપાલીને ભાભી મળશે.
૨૨. દીકરી સાસરે જાય, ત્યારે તેનાં માતા-પિતાને કેવી લાગણી થાય છે ?
ઉત્તર : દીકરી સાસરે જાય, ત્યારે તેનાં માતા-પિતાને તેમની દીકરી તેમનાથી દૂર બીજા ઘરે વળાવવાનું દુઃખ પણ થાય છે અને તે સારા કુટુંબમાં પરણીને પોતાનો ઘરસંસાર સુખેથી શરૂ કરશે તેનો આનંદ પણ હોય છે.
૨૩. દીકરી સાસરે જાય, ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે ?
ઉત્તર : દીકરી સાસરે જાય, ત્યારે તેના પિતાના ઘરે રહેતા સભ્યોની સંખ્યામાં એક સભ્યનો ઘટાડો થાય છે. દીકરી ઘરે જે કામ કરતી હોય તે હવે બીજાં એ કરવાં પડશે. દીકરી જો કમાતી હોય તો હવે આ ધરની આવક પણ ઓછી થશે.
૨૪. લગ્નમાં કેવાં ગીતો ગાવામાં આવે છે અને નૃત્યો કરવામાં આવે છે ?
ઉત્તર : લગ્નમાં જે-તે સમાજના રીત-રિવાજ મુજબના ગીતો અને નૃત્ય કરવામાં આવે છે. હવે તો આધુનિક જમાના મુજબનાં ગીતો અને નૃત્યો તથા ફિલ્મી ગીતોનાં નૃત્યો પણ કરવામાં આવે છે.
૨૫. ગુજરાતમાં લગ્નપ્રસંગે કયાં કયાં નૃત્યો કરવામાં આવે છે ?
ઉત્તર : ગુજરાતમાં લગ્નપ્રસંગે મુખ્યત્વે રાસ-ગરબા થાય છે. આ ઉપરાંત હૂડો, સરજુ, ટિમલી નૃત્ય, ડોસલો નૃત્ય, મોરિયો નૃત્ય, બંકિમ નૃત્ય પણ જુદા-જુદા વિસ્તારોમાં કરવામાં આવે છે.
૨૬. ‘ડોસલો નૃત્ય’ ઉત્તર ગુજરાતનું નૃત્ય છે. (√ કે ×)
ઉત્તર : √
૨૭. અરવલ્લી વિસ્તારમાં લગ્ન પ્રસંગે કરાતું ___ નૃત્ય જાણીતું છે.
ઉત્તર : મોરિયો
૨૮. પંચમહાલનું કર્યું નૃત્ય જાણીતું છે ?
ઉત્તર : પંચમહાલનું ટિમલી નૃત્ય જાણીતું છે.
૨૯. ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના ___ થી જાણીતું બન્યું છે.
ઉત્તર : ચોરવાડ
૩૦. જોડકાં જોડો.
વિભાગ – અ | વિભાગ – બ |
(૧) ડોસલો નૃત્ય | (અ) પંચમહાલ |
(૨) મોરિયો નૃત્ય | (બ) ઉત્તર ગુજરાત |
(૩) ટિમલી નૃત્ય | (ક) ચોરવાડ |
(૪) ટિપ્પણી નૃત્ય | (ડ)અરવલ્લી |
જવાબ |
(૧) ~ [બ] |
(૨) ~ [ડ] |
(૩) ~[અ] |
(૪) ~ [ક] |
૩૧. કિરણના કુટુંબમાં બદલાવ શાને કારણે આવ્યો ?
ઉત્તર : કિરણના કુટુંબમાં તેની નાની બહેનનો જન્મ થતાં એક નવા સભ્યનો ઉમેરો થવાથી બદલાવ આવ્યો.
૩૨. સુમીના કુટુંબમાં બદલાવ શાથી આવ્યો ?
ઉત્તર : સુમીના પિતાની બદલી બીજા શહેરમાં થતાં તેમના કુટુંબમાં બદલાવ આવ્યો.
૩૩. દિપાલીના કુટુંબમાં બદલાવ શાથી આવ્યો ?
ઉત્તર : દિપાલીના કાકાના દીકરાનાં લગ્ન થતાં તેના કુટુંબમાં એક નવો સભ્ય ઉમેરાતાં બદલાવ આવ્યો.
૩૪. કુટુંબોમાં ફેરફારનાં કયાં કારણો હોઈ શકે ?
ઉત્તર : કુટુંબોમાં ફેરફારનાં કારણો આ મુજબના હોઈ શકે :
(૧) જો કોઈ સભ્યની નોકરી બીજા શહેરમાં લાગે ત્યારે.
(૨) પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય કે કોઈનો જન્મ થાય ત્યારે.
(૩) પરિવારના કોઈ સભ્ય બીજે ભણવા માટે જાય ત્યારે.
(૪) પરિવારમાં કોઈ સભ્યનાં લગ્ન થાય ત્યારે.
૩૫. તમારું કુટુંબ અત્યારે જ્યાં રહે છે ત્યાં કેટલાં વર્ષોથી રહે છે ?
ઉત્તર : (વિઘાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૩૬. તમારું કુટુંબ આ પહેલાં ક્યાં રહેતું હતું ?
ઉત્તર : (વિઘાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૩૭. તમારા કુટુંબમાં દસ વર્ષ પહેલા કેટલાં સભ્યો હતા અને અત્યારે કેટલા સભ્યો છે ? આ ફેરફાર કેમ થયો.
ઉત્તર : (વિઘાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૩૮. તમારા હાલના કુટુંબનું વૃક્ષ (Family Tree) અને તમારા દાદા બાળક હતા ત્યારનું કુટુંબ-વૃક્ષ (Family Tree) અલગ અલગ કાગળ પર દોરો અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૧) કુટુંબના હાલના સભ્યોની સંખ્યા :
(૨) હાલની સૌથી વધુ ઉંમરવાળી વ્યક્તિનું નામ :
(૩) તમારા દાદા બાળક હતા ત્યારના સભ્યોની સંખ્યા :
(૪) તમારા દાદા બાળક હતા ત્યારે સૌથી વધુ ઉંમરવાળી વ્યક્તિનું નામ :
૩૯. તમે ભણી – ગણીને શું બનવા માંગો છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૪૦. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે ? કેટલું ?
ઉત્તર : (વિઘાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૪૧. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભર્યું છે ? કેટલું ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૪૨. લગ્ન કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ ઉંમર નક્કી કરવામાં આવી છે. (√ કે ×)
ઉત્તર : √
૪૩. છોકરા માટે લગ્ન કરવાની ઓછામાં ઓછી ઉંમર ___ વર્ષ રાખવામાં આવી.
ઉત્તર : ૨૧
૪૪. છોકરીઓનાં કેટલાં વર્ષ થતાં બાળલગ્ન નથી ગણાતાં ?
(A) ૧૨ વર્ષ કે તે પછી
(B) ૧૪ વર્ષ કે તે પછી
(C) ૧૮ વર્ષ કે તે પછી
(D) ૧o વર્ષ કે તે પછી
ઉત્તર : C
૪૫. કેટલાંક બાળકો શાળામાં જઈ શકતાં નથી તેનાં કારણો જણાવો .
ઉત્તર : કેટલાંક બાળકો શાળામાં જઈ શકતાં નથી તેનાં કારણો આ મુજબ છે :
(૧) બાળકોનાં માતા – પિતા શાળાની ફી ભરી શકે તેમ ન હોય.
(૨) બાળકોની નજીકમાં કોઈ શાળા ન હોય.
(૩) બાળકોને બણવામાં રસ ન હોય.
(૪) માતા-પિતા નિરક્ષર હોય અને ઘરમાં નાનું બાળક હોય તેની જવાબદારી મોટા બાળકને સોંપીને તેઓ કામ પર જતાં હોય.