મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનધારકો માટે એક મહત્ત્વપૂર્ણ આરોગ્યલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત તમામ કર્મયોગીઓને કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ મળશે.
યોજનાના મુખ્ય મુદ્દાઓ
- કોને મળશે લાભ?: રાજ્યના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનધારકો અને તેમના આશ્રિત કુટુંબીજનોને આ યોજનાનો લાભ મળશે. આશરે 4.20 લાખ અધિકારી-કર્મચારીઓ અને 2.20 લાખ પેન્શનધારકો મળીને કુલ 6.40 લાખ કર્મયોગીઓને આ યોજનાનો ફાયદો થશે.
- કેશલેસ સારવાર: PMJAY-મા યોજનાની જેમ જ, “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા સરકારી, સરકારી સમકક્ષ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં નિયત કરેલ પ્રોસીજર માટે પરિવાર દીઠ વાર્ષિક ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે.
- OPD સારવાર: આ યોજના હેઠળ બહારના દર્દી (OPD) તરીકેની સારવારનો સમાવેશ થશે નહીં.
- માસિક મેડિકલ એલાઉન્સ: હાલ મળતું માસિક મેડિકલ એલાઉન્સ (₹1000) યથાવત રહેશે.
- મેડિકલ રીઈમ્બર્સમેન્ટ: ₹10 લાખથી વધુના ખર્ચ માટે, AB-PMJAY-MAA માં ઉપલબ્ધ ન હોય તેવી સારવારની પ્રોસીજર માટે, અથવા PMJAY માં એમ્પેનલ ન હોય તેવી હોસ્પિટલોમાં સારવાર માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રીઈમ્બર્સમેન્ટ મળશે.
- સંકળાયેલ હોસ્પિટલો: હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ 2658 હોસ્પિટલો (904 ખાનગી અને 1754 સરકારી) સંકળાયેલી છે, જેમાં 2471 નિયત પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે.
- લાભાર્થીઓ: ઓલ ઈન્ડિયા સર્વિસીસ (AIS)ના અધિકારીઓ અને પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનો તેમજ ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 અનુસાર મેડિકલ રીઈમ્બર્સમેન્ટ મળવાપાત્ર હોય તે તમામને આ યોજનાનો લાભ મળશે.
- યોજનાનો ખર્ચ: આ યોજના અંતર્ગત ₹303 કરોડ પ્રીમિયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. રાજ્ય સરકાર પ્રતિ કુટુંબ દીઠ વાર્ષિક ₹3708 પ્રીમિયમ ચૂકવશે.
અપવાદો
- ફિક્સ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે.
- પેન્શનધારકોને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં.
આ યોજના દ્વારા રાજ્ય સરકાર લાખો કર્મયોગીઓ અને તેમના પરિવારોને અદ્યતન અને કેશલેસ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.
સ્થગિત થયેલી ધો. ૧ થી ૫ ની વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા પુનઃ શરુ
શાળાઓમાં શિક્ષકોની ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચને રજૂઆત
પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવા આદેશ
સરકારી કર્મીઓ માટે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના , ૧૦ લાખ સુધીની સારવાર
પ્રવેશોત્સવ બાબત ના સમાચાર પ્રવેશોત્સવ પાછો ફેલાય તેવી સંભાવના
ટૂંક સમયમાં પ્રાથમિક વિભાગમાં મુખ્ય શિક્ષક તરીકે બઢતી અપાશે
પ્રવેશોત્સવ બાબતે આજના મહત્વના સમાચાર