રાજ્ય સરકારની કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ માટે ફરજનો સમય સવારે 10.30થી સાંજના 6.10 સુધીનો છે.
Gandhinagar News: ગાંધીનગર-સચિવાલય સહિત રાજ્યભરની રાજ્ય સરકારની કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ માટે ફરજનો સમય સવારે 10.30થી સાંજના 6.10 સુધીનો છે. તેને બદલીને સવારે 9.30થી સાંજના 5.10 સુધીનો સમય રાખવાની ભલામણ રાજ્ય સરકારે રચેલા ગુજરાત વહીવટી સુધારા આયોગે કરી છે. આ અંગે આયોગ દ્વારા ભલામણ છે, જે અંગે આખરી નિર્ણય રાજ્ય સરકાર લેશે.
વહીવટી સુધારા આયોગે સરકારી ઑફિસોના વર્ષો જૂના વાહનો- ફર્નિચર વહેલી તકે કંડમ કરવા, તમામ વિભાગોની સરકારી વેબસાઇટ્સને યુઝર, ફ્રેન્ડલી બનાવવા તથા તેમાં ભારત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા, સિટીઝન ચાર્ટરને વધુ અસરકારક અને વધુ મજબૂત સિસ્ટમ તરીકે વિકસાવવા, સરકારી સેવા વિતરણ પોર્ટલ્સને સિટીઝન ફ્રેન્ડલી બનાવવા, પ્રમાણપત્રો-મંજૂરીઓની ખરાઈ ચકાસવા ક્યૂ આર કોડ પદ્ધતિ વિકસાવવા તમામ પ્રકારની ફરિયાદો માટે એક જ પ્લેટફોર્મ વિકસાવવા ભલામણો કરી છે.
સ્થગિત થયેલી ધો. ૧ થી ૫ ની વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા પુનઃ શરુ
શાળાઓમાં શિક્ષકોની ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચને રજૂઆત
પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવા આદેશ
સરકારી કર્મીઓ માટે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના , ૧૦ લાખ સુધીની સારવાર
પ્રવેશોત્સવ બાબત ના સમાચાર પ્રવેશોત્સવ પાછો ફેલાય તેવી સંભાવના
ટૂંક સમયમાં પ્રાથમિક વિભાગમાં મુખ્ય શિક્ષક તરીકે બઢતી અપાશે
પ્રવેશોત્સવ બાબતે આજના મહત્વના સમાચાર