સરકારી કર્મચારીઓની હાજરીને લઈ નિર્ણય. સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10 :40 સુધી ઓફિસ કર્મચારીઓએ પહોંચવાનો રહેશે. ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10 નો રહેશે. સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓ ની રજા કપાશે. આવાં કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો સામાન્ય વહીવટ વિભાગનું નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં કર્મચારીઓએ સમયસર હાજરી માટે ‘Digital Attendance System’નો અમલ કર્યો હતો. આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરીઓમાં જ અમલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોડા આવતા અને વહેલા ઘરે જતા રહેતા કર્મચારીઓ માટે કઠોર નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના આ પરિપત્ર અનુસાર સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા તથા શિસ્ત જાળવે તેમજ સરકારી કામકાજમાં કાર્યક્ષમતા વધે, નિયમિત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય તે હેતુસર સરકારી કચેરીઓ માટે જરૂરી સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો