પ્રતિ,
મે. નિયામકશ્રી
પ્રાથમિક શિક્ષણ, ગુ.રા.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેકટર-૧૯, ગાંધીનગર
વિષય :- આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબત
સંદર્ભ:- (૧) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : પીઆરઈ/૧૪૨૦૧૯/સીસી-૩૯૧/ક-૧, તા.૦૫/૦૧/૨૦૨૪
મે. સાહેબશ્રી,
સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા પત્ર ક્રમાંક : પીઆરઈ/૧૪૨૦૧૯/સીસી-૩૯૧/ક૧, તા.૫/૧/૨૦૨૪થી માહિતી મંગાવવા બાબતે થયેલ પત્ર અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા પત્ર ક્રમાંક : પ્રાશિનિ/ક-નીતિ/૨૦૨૪થી તમામ જિલ્લાઓ પાસે માહિતી માંગવામાં આવેલ હતી. પરંતુ આજદિન સુધી ઉપરોક્ત બાબતે નિર્ણય કરવામાં આવેલ નથી તો અમારી રજૂઆતને ધ્યાને લઈ ઘટતી કાર્યવાહી કરી લાભાર્થી શિક્ષકોને આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબતે કાર્યવાહી કરવા વિનંતી છે.
વધુમાં જણાવવાનું કે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા તા. ૨૯/૦૯/૨૦૨૩ના પત્રથી નામ. હાઈકોર્ટના ચૂકાદાને આધારે સળંગ નોકરી ગણવા બાબતે હુકમો થયેલ છે જે ધ્યાને લઈ અન્ય જિલ્લામાં પણ લાભમળે એ બાબતે ઘટતું કરવા વિનંતી છે.
બ્રિજકોર્સ – કલાસ રેડીનેશઃ જ્ઞાનસેતુ સાહિત્યની વિગતો
તમારા વિદ્યાર્થીના નામવાળું અને ફોટા વાળું સ્ટીકર બનાવો – પુસ્તકમાં લગાવશો તો બાળકને મજા આવશે
NEET UG 2025 RESULT DECLARED NOW
ધોરણ ૩ થી ૮ તાસ ફાળવણી અને શિક્ષક કાર્યભાર વહેંચણી
દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી – ૨૦૨૫
તમારો પોતાનો DIGI પિનકોડ બનાવ્યા પછી કોઈને સરનામું આપવાની જરૂર નહીં પડે
શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્ર (School Leaving Certificate) માં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત.